AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ફરી સિટી બસની અડફેટે એકનુ મોત, પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

આજે સવારે પાર્લે પોઇન્ટ નજીક મોપેડ સવાર માતા-પુત્રીને બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં માતાનું કરૂણ મોત નિપજ્યુ છે. ઉમરા પોલીસે બસ ચાલક વિરૂદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat :  ફરી સિટી બસની અડફેટે એકનુ મોત, પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:55 AM
Share

સુરત શહેરમાં બેકાબુ સિટી બસે ટક્કર મારતા ફરી એકવાર કરૂણાંતિકા સર્જાઈ છે. આજે સવારે પાર્લે પોઇન્ટ નજીક મોપેડ સવાર માતા-પુત્રીને બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં  માતાનું કરૂણ મોત નિપજ્યુ છે. ઉમરા પોલીસે બસ ચાલક વિરૂદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બસે ટક્કર મારતા મહિલાનુ કરૂણ મોત નિપજ્યુ

આ પહેલીવાર નથી કે જ્યાં શહેરમાં બેકાબુ સિટી બસે કોઈને અડફેટે લીધા હોય. થોડા દિવસો અગાઉ એક સિટી બસે રોડ પર ચાલી રહેલી જૈન સાધ્વીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતાં સમગ્ર જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર વિસ્તારમાં મક્કાઈપુલ પાસે સિટી બસે જૈન સાધ્વીને ટક્કર મારી હતી. આપને જણાવવુ રહ્યું કે જૈન સાધ્વી ગુરુના અંતિમ દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા.

તો ગયા મહિને પણ શહેરના રીંગ રોડ માર્કેટ વિસ્તારમાં સિટી બસે યુવકના બાઇકને ટક્કર મારી હતી, જેમાં યુવકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે દર અઠવાડિયે અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">