AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ભય! આફ્રિકાથી સુરત આવેલા 9 સહિત 351 લોકોને કરાયા ક્વોરન્ટાઈન

Surat: નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સુરત મહાનગરપાલિકા એલર્ટ પર આવી ગઈ છે. શહેરમાં આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 10:28 AM
Share

Surat: કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોનને (Omicron Variant) લઇ વિશ્વભરમાં ખળભળાટ છે. છેલ્લા 15 દિવસમાં યુ.કે સહિત 13 દેશમાંથી સુરતમાં આવેલા યાત્રીની સંખ્યા વધીને 351 થઈ છે. જેમાંથી 9 સાઉથ આફ્રિકાથી આવ્યા છે. જ્યાં નવા વેરિયન્ટનાં કેસ વધુ છે. મહાનગરપાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. એટલું જ નહિં જેમાંથી 78 લોકોના RT-PCR કરવામાં આવ્યા છે.

તેમાંથી હજુ સુધી કોઇ રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. બાકીના મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જીનોમ સિકવેન્સિંગ કરવામાં આવશે. રવિવારે એરપોર્ટ પર 391 મુસાફરોના આરટી-પીસીઆર થયા હતા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ છે. જ્યારે 93ના રિપોર્ટ પેન્ડીંગ છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો

તો કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) દ્વારા ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને વધુ જોખમ ધરાવતા દેશોના પ્રવાસીઓ માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. સુધારેલા નિયમો અનુસાર 12 ‘જોખમ ધરાવતા દેશો’ના મુસાફરોએ પોસ્ટ-અરાઈવલ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે.

જો પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવું પડશે. અપડેટ કરાયેલ માર્ગદર્શિકા જણાવે છે કે આઠમા દિવસે તેમની ફરીથી તપાસ કરવામાં આવશે અને જો તેઓ નેગેટિવ જોવા મળે છે તો તેમણે આગામી 7 દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરવું પડશે.

1 ડીસેમ્બરથી લાગુ થશે નવી માર્ગદર્શિકા

ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરીને આવતા મુસાફરો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી લાગુ થશે. માર્ગદર્શિકા જણાવે છે કે પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની તેમની મુસાફરીની વિગતો પણ સબમિટ કરવી પડશે અને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટીવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે.

આ પણ વાંચો: Chhota Udepur: ખેડૂતો પર નવી આફત, કેળ અને ટામેટામાં આવેલ રોગ ઊભા ને ઊભા સુકવી રહ્યો છે છોડ

આ પણ વાંચો: Weather: રાજ્યમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ, 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">