AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health: કોરોનાથી લોકો ફક્ત શારીરિક કે આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ થયા પ્રભાવિત, મનોચિકિત્સકો પાસે આવી રહ્યા છે રોજ નવા કેસ

આ મહામારીમાં કેટલાક લોકો તેનો ભોગ બન્યા છે, કેટલાકે તેમના સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાકના દિલો-દિમાગ પર બીમારી હાઉ કરી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મનોચિકિત્સકની (psychiatrist) મદદ પણ લઈ રહ્યા છે.

Mental Health: કોરોનાથી લોકો ફક્ત શારીરિક કે આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ થયા પ્રભાવિત, મનોચિકિત્સકો પાસે આવી રહ્યા છે રોજ નવા કેસ
સુરતના જાણીતા મનોચિકિત્સક મુકુલ ચોકસી
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 9:08 PM
Share

Mental Health: કોરોનાએ ફક્ત લોકોને શારીરિક (physical) કે આર્થિક (financial) જ નહીં પણ માનસિક (mentally) રીતે પણ બહુ નુકશાન પહોંચાડ્યું છે. આ મહામારીમાં કેટલાક લોકો તેનો ભોગ બન્યા છે, કેટલાકે તેમના સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાકના દિલો-દિમાગ પર બીમારી હાઉ કરી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મનોચિકિત્સકની (psychiatrist) મદદ પણ લઈ રહ્યા છે.

સુરતના જાણીતા મનોચિકિત્સક મુકુલ ચોકસી પાસે આવા રોજના ચારથી પાંચ દર્દીઓ આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં અંદાજે 45 મનોચિકિત્સક છે અને દરેક પાસે આ જ પ્રકારના કેસોને લઈને લોકો મળી રહ્યા છે.

મુકુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમની પાસે જે દર્દીઓ આવે છે તે ત્રણ પ્રકારના છે.

1). જેમને કોરોના થઈ ચુક્યો છે અને જેઓ હોસ્પિટલમાં કે આઈસીયુમાં એડમિટ થઈને ઘરે પરત ફર્યા છે, તેઓ માઈન્ડથી એકદમ શૂન્ય થઈ ગયા છે. તેઓના મગજ પર એટલી અસર પડી છે કે તેઓએ બોલવાનું ઓછું કરી દીધું છે. દિવસે સુઈ રહેવુ અને રાત્રે જાગવું તેના લક્ષણો છે.

2). જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેઓ પણ શૂન્યાવકાશમાં જતા રહ્યા છે. કંઈ કરી ન શકવાની અને પોતાના સ્વજનને બચાવી ન શકવાની ભાવના તેમને સતાવે છે.

3). જેમને કોરોના કે મ્યુકરમાઈકોસીસનો હાઉ સતત ડરાવી રહ્યો છે. કારણ કે જો આ બીમારી થશે તો તેમનું શું થશે, પરિવારનું શું થશે, આર્થિક ભારણ કેટલું આવશે?

ચોંકાવનારા બે કેસની વાત કરતા તેમણે એ પણ કહ્યું હતું કે એક દંપતીએ પોતાના દોઢ વર્ષના બાળકને કોરોના થશે એ ભીતિએ ઘરની બહાર જ નહોતો કાઢ્યો, દોઢ વર્ષ સુધી આ બાળક માત્ર માતા અને પિતા એમ બે જ ચહેરાને ઓળખતો હતો. દોઢ વર્ષ પછી અનલોક થયા બાદ જ્યારે બાળકને બહાર લઈ જવાયો, ત્યારે તે હેબતાઈ ગયો, તેને માનસિક ઊંડી અસર પડી હતી.

અન્ય એક કેસમાં એક વ્યક્તિ કે જેને કોરોના નહોતો થયો પણ તેને સતત બીક રહેતી હતી કે જો કોરોના થશે તો તેની સારવાર માટે થનારો મોટો ખર્ચ કોણ ઉપાડશે, આટલા રૂપિયા તે ક્યાંથી લાવશે? એ બીકે તે વ્યક્તિએ આત્મહત્યાની કોશિશ કરી હતી.

આવા તો અનેક કેસ તેમની સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા અને પ્રસાર પ્રચાર માધ્યમો થકી આ મહામારીએ માનસિક સંતુલન પણ ખોરવી નાંખ્યું છે. ત્યારે યોગ, પ્રાણાયામ, આધ્યાત્મિક માર્ગ અપનાવીને મગજને શાંતિ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમજ તે છતાં પણ માનસિક અસ્થિરતા જણાય તો કોઈપણ સંકોચ વિના મનોચિકિત્સકને સંપર્ક કરીને જરૂરી દવાઓ શરૂ કરવાની સલાહ તેમણે આપી છે.

આ પણ વાંચો : AHMEDABAD: મિત્રતામાં પ્રેમ થયો અને પ્રેમમાં પહોચી ગયા પોલીસ સ્ટેશન, જાણો આખો મામલો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">