AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત નવી સિવિલમાં સિઝનલ ફ્લૂના દૈનિક કેસમાં વધારો, તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

Surat News : નવી સિવિલમા ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે.

સુરત નવી સિવિલમાં સિઝનલ ફ્લૂના દૈનિક કેસમાં વધારો, તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:03 PM
Share

સુરતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ સાથે સીઝનલ ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે નવી સિવિલમા ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવા સંજોગોમાં નવી સિવિલ ખાતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફલૂના દદીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

નવી સિવિલનું તંત્ર એક્શનમાં

સુરત સહિત ગુજરાતમાં સીઝનલ ફૂલના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે સરકારની ચિંતા વધતા બે દિવસ પહેલા રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો વચ્ચે સુરત નવી સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલના અધિકારી અને ડોક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સમાં જોડાઈને ચર્ચાઓ કરી હતી. H1N1 એટલે સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ નેગેટિવ આવેલો હોય તે દર્દીને H3N2નો સંભવિત કેસ હોવાની શક્યતા દર્શાવી હતી.

તમામ બેડ પર ઓક્સિજન સહિતની સુવિધા

જોકે સીઝનલ ફ્લૂના દર્દીને તકલીફ ના પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલિંગમાં સીઝનલ ફ્લૂ દદીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તમામ બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા રાખવામાં આવી છે.

સંક્રમણ ન ફેલાય તે માટે રાખવામાં આવી રહી છે તકેદારી

સિવિલમાં શરદી, ખાંસી જેવી તકલીફ સાથે ઓપીડીમાં રોજના 100 થી 115 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પણ હાલમાં રોજના અંદાજિત 200 દર્દી આ પ્રકારની તકલીફ સાથે આવી રહ્યા છે. જયારે H3N2ના રોગના સંક્રમિત બને તેના એક દિવસ પહેલાથી પછીના પાંચ દિવસ સુધી સંક્રમિત વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જેથી ચેપ ન ફેલાય તે માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

સ્મીમેર હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર

બીજી તરફ સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રએ સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલેકટર દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં  અલગ વ્યવસ્થા ગોઠવવા આદેશ કરવામાં આવ્યા છે. જેને લઇને કોરોનાના દર્દીઓ માટે  આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે સુરતમાંથી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">