સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી

|

Feb 28, 2022 | 5:18 PM

મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેની બહેનને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. મૃતકના મામાએ 2 હજારની રકમની માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આ મામલો હત્યા પહોંચ્યો હતો

સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી
સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની બબાલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

Follow us on

સુરત (Surat) ના શ્રમજીવી મહિલાની લાશ રાંદેર વિસ્તારમાંથી મળી હતી પણ કોઈ ઓળખ ન થઈ હતી પરંતુ મૃતક મહિલાનો ભાઈ વતનથી આવતા મામલાનો પર્દાફાશ થયો જેમાં આ હત્યા બીજા કોઈ નહી પણ તેમના ગામથી ભગાડીને લાવેલ પ્રેમી (lover) એ મહિલાની હત્યા કરી હતી. મામાને ઉછીના રૂપિયા આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકા (girlfriend) ની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

સુરત શહેરમાં ઘરના ઝગડા અને પ્રેમી પ્રેમિકાની ઝગડામાં હત્યાનો ગ્રાફ પણ વધી થયો છે ત્યારે રાંદેરમાં રૂ.2 હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃંહની પાછળથી મહિલાની લાશ મળી હતી. પણ ત્યારે લાશની ઓળખ થઈ શકી નહોતી.

શરૂઆતમાં લાશની ઓળખ થઈ ન હોવાથી પોલીસ (Police) અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી બાદમાં બનાવના 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાઇ આપવા આવ્યો હતો. ત્યારે સવારે બહેન ઝૂંપડામાં ન મળતાં ભાઈ સાંજે પાછો આવ્યો હતો, ત્યારે પણ બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી. દુકાનદારે કહ્યું કે ઝુપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે જે સાંભળતા ભાઈ ચોકી ઉઠ્યો હતો અને આજુબાજુ વધુ તપાસ કરી અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ હતો આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિલાની લાશ મળી તેના 5 દિવસ બાદ વતનથી આવેલા ભાઈએ ઓળખ કરી હતી. ભાઈ વતનથી આવતા પોલીસે આ મામલે લાશની ઓળખ માટે લઈ ગયા હતા ત્યારે પોતાની બહેનની લાશ હોવાનું જાણવ્યુ હતું. પરિવારની પૂછપરછ આધારે મહિલાનું નામ સીતા હતું.

મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. બન્ને રાંદેરમાં ફુટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. સાથે મૃતક સીતાના મામાએ અગાઉ આરોપી રાકેશ પાસેથી 10 હજાર ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી. ઉપરથી સીતાના મામાએ બીજા 2 હજારની રકમની માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આ મામલો હત્યા પહોંચ્યો હતો. આ મામલે રાંદેર પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચોઃ ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ Rajkot: 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

Published On - 5:17 pm, Mon, 28 February 22

Next Article