AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લુપ્ત થતી કળા : સુરતમાં હાથેથી બનાવવામાં આવતી સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો થઇ રહ્યા છે લુપ્ત

જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.

લુપ્ત થતી કળા : સુરતમાં હાથેથી બનાવવામાં આવતી સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો થઇ રહ્યા છે લુપ્ત
Handmade Gopchain (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:06 AM
Share

સોનામાંથી(Gold ) બનતી ચેન પહેલા હાથ થી બનાવવામાં આવતી હતી.જેને ગોપચેન પણ કહેવામાં આવે છે.જો કે સવાસો વર્ષ જૂની ગોપચેન ના કારીગરો હવે સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે.સુરત માં હવે માંડ એક જ કારીગર એવા છે જે આ પ્રકાર ની સોનામાંથી હાથ વણાટ થી ચેન બનાવે છે.વિખરાયેલા માર્કેટ અને મશીનરી ના કારણે કારીગરી લુપ્ત થઇ રહી છે. સમય ની સાથે ઘણી બધી વસ્તુઓ માં બદલાવ આવે છે.જેમાં હવે ઘણી જગ્યાઓ પર માણસ નું કામ મશીનરી દ્વારા કરવામાં આવતા હસ્તકલાની અમુક કારીગરી લુપ્ત થઈ રહી છે.જેમાંની એક સવાસો વર્ષ જૂની કારીગરી ગોપચેન ની પણ છે. ગોપચેન એટલે કે સોનામાંથી તેના તાર બનાવીને આ તારને હાથ વણાટ થકી ચેન બનાવવાંમાં આવે છે.અને આ ચેન બનાવનાર કારીગરી અલગ જ હોય છે.

આ પ્રકાર ની ચેન સૌપ્રથમ રાજસ્થાન ના પાવા ગામ ના દોલરામજી એ બનાવી હતી. ત્યારબાદ મુંબઈમાં કિકા રામજી વૈષ્ણવ એ આ કારીગરી આગળ વધારી હતી.સુરત માં હાલ આ પ્રકાર નું કામ એકમાત્ર વ્યક્તિ કરે છે.અને તે છે દિનેશભાઇ બાલી.  દિનેશભાઇ મુલચંદજી બાલી એ કહ્યું કે”મેં અમદાવાદ માં મારા જ ગામ ના લાલિતભાઈ અને સુંદરભાઈ પાસે આ કામ શીખ્યો. ત્યારબાદ હું મારા ભાઈ ઉત્તમ જોડે સુરત આવ્યો અને અહીં કામ શરૂ કર્યું.

જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.એક ચેન નું મને 1000 થી 1500 રૂપિયાનું વળતર મળે છે.દિવસ માં હું આવી બે ત્રણ ચેન બનાવી લઉ છું. હાથ થી બનાવેલ ચેન અને મશીન પર બનેલ ચેન માં ઘણું અંતર હોય છે.આ કારીગરી દરેક વ્યક્તિ નથી કરી શકતો.

આજે મહાનગરોમાં નાના મોટા જવેલર્સની સંખ્યા ખુબ વધારે છે. પરંતુ જવેલરી ક્ષેત્રમાં આવા હાથ બનાવટના કારીગરો ખુબ ઓછા બચ્યા છે. સુરતની ગોપચેનના કારીગરો પણ હવે ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે. જેઓ હાથ બનાવટની ચેન બનાવે છે.

આ પણ વાંચો :

Surat : ઈ-વ્હીકલ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે

Surat : લોકડાઉનમાં જયારે બધી ઓફિસો બંધ હતી, ત્યારે પણ યુનિવર્સીટીએ 3 મહિનામાં 3 લાખ રૂપિયાની વીજળી વાપરી !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">