AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લુપ્ત થતી કળા : સુરતમાં હાથેથી બનાવવામાં આવતી સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો થઇ રહ્યા છે લુપ્ત

જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.

લુપ્ત થતી કળા : સુરતમાં હાથેથી બનાવવામાં આવતી સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો થઇ રહ્યા છે લુપ્ત
Handmade Gopchain (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:06 AM
Share

સોનામાંથી(Gold ) બનતી ચેન પહેલા હાથ થી બનાવવામાં આવતી હતી.જેને ગોપચેન પણ કહેવામાં આવે છે.જો કે સવાસો વર્ષ જૂની ગોપચેન ના કારીગરો હવે સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે.સુરત માં હવે માંડ એક જ કારીગર એવા છે જે આ પ્રકાર ની સોનામાંથી હાથ વણાટ થી ચેન બનાવે છે.વિખરાયેલા માર્કેટ અને મશીનરી ના કારણે કારીગરી લુપ્ત થઇ રહી છે. સમય ની સાથે ઘણી બધી વસ્તુઓ માં બદલાવ આવે છે.જેમાં હવે ઘણી જગ્યાઓ પર માણસ નું કામ મશીનરી દ્વારા કરવામાં આવતા હસ્તકલાની અમુક કારીગરી લુપ્ત થઈ રહી છે.જેમાંની એક સવાસો વર્ષ જૂની કારીગરી ગોપચેન ની પણ છે. ગોપચેન એટલે કે સોનામાંથી તેના તાર બનાવીને આ તારને હાથ વણાટ થકી ચેન બનાવવાંમાં આવે છે.અને આ ચેન બનાવનાર કારીગરી અલગ જ હોય છે.

આ પ્રકાર ની ચેન સૌપ્રથમ રાજસ્થાન ના પાવા ગામ ના દોલરામજી એ બનાવી હતી. ત્યારબાદ મુંબઈમાં કિકા રામજી વૈષ્ણવ એ આ કારીગરી આગળ વધારી હતી.સુરત માં હાલ આ પ્રકાર નું કામ એકમાત્ર વ્યક્તિ કરે છે.અને તે છે દિનેશભાઇ બાલી.  દિનેશભાઇ મુલચંદજી બાલી એ કહ્યું કે”મેં અમદાવાદ માં મારા જ ગામ ના લાલિતભાઈ અને સુંદરભાઈ પાસે આ કામ શીખ્યો. ત્યારબાદ હું મારા ભાઈ ઉત્તમ જોડે સુરત આવ્યો અને અહીં કામ શરૂ કર્યું.

જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.એક ચેન નું મને 1000 થી 1500 રૂપિયાનું વળતર મળે છે.દિવસ માં હું આવી બે ત્રણ ચેન બનાવી લઉ છું. હાથ થી બનાવેલ ચેન અને મશીન પર બનેલ ચેન માં ઘણું અંતર હોય છે.આ કારીગરી દરેક વ્યક્તિ નથી કરી શકતો.

આજે મહાનગરોમાં નાના મોટા જવેલર્સની સંખ્યા ખુબ વધારે છે. પરંતુ જવેલરી ક્ષેત્રમાં આવા હાથ બનાવટના કારીગરો ખુબ ઓછા બચ્યા છે. સુરતની ગોપચેનના કારીગરો પણ હવે ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે. જેઓ હાથ બનાવટની ચેન બનાવે છે.

આ પણ વાંચો :

Surat : ઈ-વ્હીકલ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે

Surat : લોકડાઉનમાં જયારે બધી ઓફિસો બંધ હતી, ત્યારે પણ યુનિવર્સીટીએ 3 મહિનામાં 3 લાખ રૂપિયાની વીજળી વાપરી !

મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
g clip-path="url(#clip0_868_265)">