કોરોનાના થર્ડ વેવના ભણકારા વચ્ચે સુરત કોર્પોરેશન લાગ્યું સ્મશાનને સુસજ્જિત કરવા, જાણો વિગત

SMC એ કોરોનાની ત્રીજી લહેર ઘાતક બને તે પહેલા મૃતદેહ નિકાલની તીયારો શરુ કરી દીધી છે. જોકે અત્યારથી જ આવી તૈયારીથી આશ્ચર્ય સર્જાયું છે. છતાં મનપા સતર્ક રહેવા માંગે છે, એ હકીકત છે.

કોરોનાના થર્ડ વેવના ભણકારા વચ્ચે સુરત કોર્પોરેશન લાગ્યું સ્મશાનને સુસજ્જિત કરવા, જાણો વિગત
Death because of corona (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 29, 2021 | 2:07 PM

Surat: આખા ગુજરાતની સાથે સુરતમાં પણ કોરોના કેસો (Corona in Surat) વધવાની શરૂઆત થઇ ગઈ છે. જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે જોતાં ત્રીજી લહેરની પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. મનપાએ (SMC) ત્રીજી લહેર માટે ટેસ્ટીંગ કીટ, સારવાર સહીતના મુદ્દે આગોતરું આયોજન શરુ કરી દીધું છે. આ સાથે કોરોનાની અગાઉ બે લહેરો જેવી જ વિકટ અને ભયાવહ સ્થિતિ સર્જાય, અને વધુ લોકોના મોત થાય તો મૃતદેહના નિકાલ માટે પણ મનપા દ્વારા આ વખતે આગોતરા આયોજન માટે કવાયત હાથ ધરાઈ છે.

અગાઉ કોરોનાની બબ્બે લહેરોમાં મૃતદેહોના કોવિડ ગાઈડલાઈન મુજબ નિકાલ કરનારા, આ કામગીરી કરતાં માણસો અને ગાડીઓના ભાવ નક્કી કરવા માટે વહીવટી તંત્રએ અત્યારથી જ શાસકોની મંજુરી માગી છે. અગાઉ બે લહેરોમાં એવી ભયાવહ સ્થિતિ હતી કે જુના, બંધ સ્મશાનો ખોલાવવા પડ્યા હતા. અને છતાં અંતિમસંસ્કારો માટે લાંબી કતારો લાગી હતી.

આવી સ્થિતિ સર્જાય ત્યારે ઉતાવળે નિર્ણય કરવાને બદલે અત્યારથી ભાવ નક્કી કરવાથી છેલ્લી ઘડીએ અફરાતફરી ન સર્જાય એવા આશય સાથે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે કોરોનાના મૃતકોની અંતિમવિધી શહેરના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ કામગીરીમાં ન પહોંચી વળતા, ખાસ ખરીદ સમિતિ દ્વારા મૃતકોની અંતિમવિધિ માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી માટેના માણસો અને ગાડીઓ રોકી, ભાવ નક્કી કરીને વિવિધ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

12 કલાકની કામગીરી માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ 700 રૂપિયા અને 24 કલાકની કામગીરી માટે 1400 રૂપિયાની ચુકવણી કરવા તથા મૃતદેહના નિકાલ માટે ગાડીના 24 કલાકના એક હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ભાવો મુજબ જ ચુકવણી પણ ક૨વામા આવી હતી.

હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે મનપાને ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. જેના કારણે શાસકો સમક્ષ તંત્ર દ્વારા મૃતદેહના નિકાલ માટે ભાવ નક્કી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અગાઉ, બીજી લહેરમાં જે રીતે મૃતદેહના નિકાલ માટે ગાડી અને માણસોના ભાવ નક્કી કરાયા હતા, તેવી જ રીતે ત્રીજી લહેરની પૂર્વતૈયારી રૂપે જુના ભાવે કામગીરી સોંપવાનો નિર્ણય શાસકો દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ દરખાસ્ત તૈયાર કરતા પહેલા, અગાઉ કામગીરી કરી ચુકેલા વ્યક્તિઓને જુના ભાવે જ કામ કરવા, ટેલિફોનિક સંમતિ લેવામાં આવી હતી. તેઓની સંમતિ બાદ જ મૃતદેહના નિકાલ માટે ગાડી અને વ્યક્તિના ભાવ નક્કી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

જોકે અત્યારથી જ આવી દરખાસ્ત મુકાવાને પગલે આશ્ચર્ય સર્જાયું છે. કોરોના હજી તીવ્રતાથી વધવાનું શરૂ થયું નથી, છતાં મનપા સતર્ક રહેવા માંગે છે, એ હકીકત છે.

આ પણ વાંચો: દર વરસે એક રાજસ્થાની પરિવાર પતંગોત્સવ નજીક આવતા જ અમદાવાદ આવે છે, કારણ જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચો: નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદ: સુરત હજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચુકાદો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">