AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સ્વચ્છતાને સન્માન, સુરત રેલવે સ્ટેશનને સ્વચ્છતા અને યાત્રી સુવિધા માટે 10 હજારનું ઇનામ

રમેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશનની (Surat Railway Station) મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારતીય રેલવે દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકો માટે 720 ટ્રેનો ચલાવી 11.10 લાખ શ્રમિકોને તેમના વતનના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોચાડવામાં આવ્યા હતા.

Surat : સ્વચ્છતાને સન્માન, સુરત રેલવે સ્ટેશનને સ્વચ્છતા અને યાત્રી સુવિધા માટે 10 હજારનું ઇનામ
કેન્દ્રીયમંત્રી એ લીધી સુરત રેલ્વે સ્ટેશનની મુલાકાત
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 09, 2022 | 10:47 AM
Share

ગુજરાતના (Gujarat) ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન ૨મેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ની મુલાકાત લીધી હતી. સુરત રેલવે સ્ટેશનની વિઝીટ દરમ્યાન તેઓ અહીંની સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓએ સુરત સ્ટેશન તંત્રને 10 હજાર રૂપિયા પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. આ ઉપરાંત તેમણે જરૂરી પંખાઓ અને સિર્ટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. તેમણે ચાઇલ્ડ રેસ્ક્યુની સફળ કામગીરી કરનાર આરએફપીની ટીમને 5 હજાર રૂપિયા અને વાણિજ્ય વિભાગને 10 હજાર રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની પણ જાહેરાત કરી હતી.

રમેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારતીય રેલવે દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકો માટે 720 ટ્રેનો ચલાવી 11.10 લાખ શ્રમિકોને તેમના વતનના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોચાડવામાં આવ્યા હતા.

સુરત રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટનો કોન્સેપ્ટ

તેઓએ કહ્યું હતું સુરત રેલવે સ્ટેશનના તમામ સ્ટોલ ઉપર ‘નો બિલ, નો પેમેન્ટ’નો કન્સેપ્ટ અને ડ્રેસ કોડ સાથે કાર્યરત સ્ટોલધારકો પ્રેરક સંદેશ આપે છે. નોંધનીય છે કે ચેરમેન રમેશચંદ્ર રતએ ગુજરાતની ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન અત્યાર સુધી નવસારી, વાપી, બિલીમોરા, વલસાડ અને ઉધના રેલવે સ્ટેશનોની મુલાકાત લઇ સુવિધાઓ, રજૂઆતો અને રેલ્વેના વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી હતી.

તેમણે પ્રવાસીઓ સાથે પોતે સંવાદ કરી પ્રવાસ દરમિયાન રેલવેમાં સ્વચ્છતા જાળવવા, જોખમી રીતે રેલવે ટ્રેક પાર ન કરવા તેમજ આરપીએફ સ્ટાફને પણ સહયોગ આપવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે આરપીએફ યાત્રી સેવા સમિતિના સદસ્ય સર્વ યતેન્દ્રસિંહ અને કિશોર શહાનબાગ, ડી.આર.એમ. કાંત જનબંધુ, રેલવેના અધિકારી અને પદાધિકારી, આર.પી.એફ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્યારસુધીમાં સુરત શહેર સ્વચ્છ શહેર તરીકે તો નામના મેળવી જ ચૂક્યું છે. પણ હવે સુરતનું રેલવે સ્ટેશન પણ સ્વચ્છ સ્ટેશન અને યાત્રી સુવિધા માટે શ્રેષ્ઠ બનતા સુરત માટે ગૌરવ લેવા જેવી વાત છે. સુરત રેલવે વિભાગ દ્વારા હજી પણ સ્ટેશન પર વધુ સુવિધાઓ વધારીને મુસાફરોને વધુ સારો અનુભવ મળે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">