Surat : શહેરના ત્રણ ઝોન કોરોના ફ્રી , છતાં તહેવારોને લઈને કેસો ન વધે તેની ચિંતા

|

Sep 16, 2021 | 8:07 AM

આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના માટે સતર્કતા જરૂરી છે. લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ.

Surat : શહેરના ત્રણ ઝોન કોરોના ફ્રી , છતાં તહેવારોને લઈને કેસો ન વધે તેની ચિંતા
Surat: Three zones of the city are free of corona, yet there is concern that cases will not increase due to festivals

Follow us on

Surat સુરતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના(Corona ) કેસોમાં થઇ રહેલ વધઘટ પર સુરત મનપાનું આરોગ્ય વિભાગનું સતત મોનીટરીંગ કરી રહ્યું છે. પરંતુ આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના માટે સતર્કતા જરૂરી છે. લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ. આ સાથે જ શહેરના વરાછા એ, વરાછા બી અને લીંબાયત ઝોનને કન્ટેન્ટમેન્ટ ફરી ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.

સતત 14 દિવસ સુધી અહીં 3 કે તેના કરતા વધારે કેસો નહીં નોંધવાના અકરને અહીં કન્ટેન્ટમેન્ટ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાનો દાવો છો કે અથવા ઝોનમાં 100 ટકા વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. જોકે કોરોનના પીક સમય પર જે વ્યવસ્થા હતી તે આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. રોજ 110 કરતા વધારે ધન્વંતરિ રથથી 28 હજાર લોકોની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસીંગ, ક્લસ્ટર, સર્વે,ટેસ્ટિંગની પ્રક્રિયા યથાવત રાખવાની સાથે કોરોનાના સંપર્કમાં આવનારા સંક્રમિત લોકો સુધી પહોંચી શકાય. સ્કૂલ શરૂ થયા બાદ સંક્રમણની સ્થિતિને લઈને ચિંતા હતી. પરંતુ ત્યાં પણ પોઝિટિવ કેસો નથી સામે આવી રહ્યા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

કયા ઝોનમાં કેટલા દિવસથી એક પણ કેસ નથી ?
વરાછા એ ઝોન 15 દિવસ
વરાછા બી ઝોન 15 દિવસ
સેન્ટ્રલ ઝોન 10 દિવસ
લીંબાયત ઝોન 7 દિવસ

શહેરમાં 35.20 લાખ એલિજેબલ લોકોમાંથી 30.84 લાખ લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ ચુક્યા છે. જેટમાંથી 12,10,405 લોકો બીજો ડોઝ લઇ ચુક્યા છે. પહેલા ડોઝ લેનારા 87.62 ટકા અને બીજા ડોઝ લેનારા 34.38 ટકા લોકો વેક્સીનેટેડ થઇ ચુક્યા છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે કોરોનાની સ્થિતિ હવે સામાન્ય થઇ ચુકી છે. હવે ચિંતા કરવાની જરૂર નથી પણ સતર્કતા જરૂરી છે. પાછળ બે અઠવાડિયામાં સુરતમાં 47 કેસો સામે આવ્યા છે. જેમાં 61 ટકા રાંદેર અને અઠવા ઝોનમાં છે. રાંદેરમાં 17 અને અઠવામાં 12 કેસ નોંધાયા છે. જોકે લોકોને આવનારા તહેવારોને લઈને ખાસ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

આમ તહેવારોને લઈને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોરોના ગાઈડલાનનું પાલન થાય છે કે નહીં તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ કોરોનાના કેસો પર પણ નજર રાખીને માઈક્રો કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat: મુખ્યમંત્રી બદલાયા અને પાલિકાને થયું સવા લાખ રૂપિયાનું નુકશાન

આ પણ વાંચો : Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

Next Article