AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા

તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ(Fire ) લાગી ગઈ હતી.

Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા
Civil Hospital Burns Ward (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:56 PM
Share

સુરતના(Surat )કવાસગામ ખાતે આવેલ આયુષી રોડ પર વેલ્ડીંગની દુકાન આવેલી છે. દરમિયાન આજે સવારે ત્યાં એક કારીગર(Worker ) કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બ્લાસ્ટ(Blast ) થવાની સાથે આગ ભડકી ઉઠી હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા.ઘટનાના પગલે સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી. ત્રણે જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી.

ઇચ્છાપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી કવાસગામ ખાતે આયુષી રોડ ઉપર વેલ્ડીંગની દુકાનમાં આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ભડકી ઉઠી હતી જેમાં હજીરા રોડ પર આવેલા બીસીસીએલ આવાસમાં રહેતા રહેમત બાબુ મોહમ્મદ મુક્તાર અલી (ઉ.વ.18),સરવર અલી મોયુદ્દીન મિયાં (ઉ.વ.36 ) અને કલીમ સાદિક હુસેન (ઉ.વ.40 )  દાઝી ગયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમા આ બનાવ અંગે ઈજાગ્રસ્તો પરિચિત રાજકુમાર શુકલાએ જણાવ્યું હતું કે તેઓ રીક્ષા ચલાવે છે. વેલ્ડીંગની દુકાન કલીમભાઈની છે. અવાર નવાર તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ લાગી ગઈ હતી.

જોકે ત્યાં કામ કરતી વખતે ગેસ સિલિન્ડરના પાઇપ બેક મારતા ફાટી ગયો હતો જેના કારણે રહેમતના કપડામાં આગ પકડી લેતા તે દાઝવા લાગ્યો હતો ત્યારે કલીમ અને સરવર તેને ઓલાવવા અને બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા. હાલ દાઝેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">