AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા

તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ(Fire ) લાગી ગઈ હતી.

Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા
Civil Hospital Burns Ward (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:56 PM
Share

સુરતના(Surat )કવાસગામ ખાતે આવેલ આયુષી રોડ પર વેલ્ડીંગની દુકાન આવેલી છે. દરમિયાન આજે સવારે ત્યાં એક કારીગર(Worker ) કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બ્લાસ્ટ(Blast ) થવાની સાથે આગ ભડકી ઉઠી હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા.ઘટનાના પગલે સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી. ત્રણે જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી.

ઇચ્છાપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી કવાસગામ ખાતે આયુષી રોડ ઉપર વેલ્ડીંગની દુકાનમાં આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ભડકી ઉઠી હતી જેમાં હજીરા રોડ પર આવેલા બીસીસીએલ આવાસમાં રહેતા રહેમત બાબુ મોહમ્મદ મુક્તાર અલી (ઉ.વ.18),સરવર અલી મોયુદ્દીન મિયાં (ઉ.વ.36 ) અને કલીમ સાદિક હુસેન (ઉ.વ.40 )  દાઝી ગયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમા આ બનાવ અંગે ઈજાગ્રસ્તો પરિચિત રાજકુમાર શુકલાએ જણાવ્યું હતું કે તેઓ રીક્ષા ચલાવે છે. વેલ્ડીંગની દુકાન કલીમભાઈની છે. અવાર નવાર તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ લાગી ગઈ હતી.

જોકે ત્યાં કામ કરતી વખતે ગેસ સિલિન્ડરના પાઇપ બેક મારતા ફાટી ગયો હતો જેના કારણે રહેમતના કપડામાં આગ પકડી લેતા તે દાઝવા લાગ્યો હતો ત્યારે કલીમ અને સરવર તેને ઓલાવવા અને બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા. હાલ દાઝેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">