Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ
VNSGU
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 3:18 PM

હિન્દુ ધર્મને (Hinduism ) શૈક્ષિણક સ્વરૂપ આપવાની પહેલ કરનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University )  હિન્દુઇઝમના અભ્યાસક્રમને મંજૂરી આપ્યા બાદ હવે યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવા જઈ રહી છે. જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતા(Bhagwad Geeta ) અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન , એ નામના સર્ટીફિકેટ કોર્ષને પણ મંજુરી આપવામાં આવી છે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સ્નેહલ જોષીની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં ગીતાના મૂલ્યની જાણકારી મળી રહે તે માટે ” Shrimad Bhagavad Gita & Stress and inner Conflict Management in life ” ( શ્રીમદ ભગવદ્ ગીતા અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન ) નામના અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે .

ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નર્મદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટ , કોલેજોમાં આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે. જેની 1200 રૂપિયા જેટલી ફી પણ નક્કી કરી દેવામાં આવી છે . હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી  ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો .

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઉપરાંત હવે ગીતાના મૂલ્ય શિખવવામાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી હોવાનું કહી શકાય તેમ છે . આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓશો ચેરના ઉપક્રમે નવો સર્ટીફીકેટ કોર્ષ ( વર્ગખંડમાં શિક્ષણ અને શિક્ષકની ભુમિકા ) તેમજ અમરોલી કોલેજોમાં 7 જેટલા સર્ટીફિકેટ કોર્ષ અને સમુદ્રી સીમાને અનુલક્ષીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ શરૂ કરવા તેમજ 2 ક્રેડીટના મલ્ટીડીસીપ્લીનરીના સર્ટીફીકેટ કોર્ષને શરૂ કરવાની મંજુરી એકેડેમીક કાઉન્સીલ દ્વારા આપવામાં આવી હતી.

“અમે હિન્દુ અભ્યાસમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ, જે છ મહિનાનો પ્રમાણપત્ર કોર્સ હશે. અમે આગામી મહિનાઓમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં પણ તેની શરૂઆત કરીશું. અમે ડિપ્લોમા કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરીશું. અમે હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂક કરીશું, તેવું કુલપતિ કિશોરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

આ પણ વાંચો : Surat : વેપારીઓની માંગને લઈને દર્શના જરદોશ અને સી.આર.પાટીલ નાણામંત્રીને મળ્યા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">