AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ
VNSGU
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 3:18 PM
Share

હિન્દુ ધર્મને (Hinduism ) શૈક્ષિણક સ્વરૂપ આપવાની પહેલ કરનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University )  હિન્દુઇઝમના અભ્યાસક્રમને મંજૂરી આપ્યા બાદ હવે યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવા જઈ રહી છે. જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતા(Bhagwad Geeta ) અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન , એ નામના સર્ટીફિકેટ કોર્ષને પણ મંજુરી આપવામાં આવી છે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સ્નેહલ જોષીની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં ગીતાના મૂલ્યની જાણકારી મળી રહે તે માટે ” Shrimad Bhagavad Gita & Stress and inner Conflict Management in life ” ( શ્રીમદ ભગવદ્ ગીતા અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન ) નામના અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે .

ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નર્મદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટ , કોલેજોમાં આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે. જેની 1200 રૂપિયા જેટલી ફી પણ નક્કી કરી દેવામાં આવી છે . હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી  ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો .

આ ઉપરાંત હવે ગીતાના મૂલ્ય શિખવવામાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી હોવાનું કહી શકાય તેમ છે . આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓશો ચેરના ઉપક્રમે નવો સર્ટીફીકેટ કોર્ષ ( વર્ગખંડમાં શિક્ષણ અને શિક્ષકની ભુમિકા ) તેમજ અમરોલી કોલેજોમાં 7 જેટલા સર્ટીફિકેટ કોર્ષ અને સમુદ્રી સીમાને અનુલક્ષીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ શરૂ કરવા તેમજ 2 ક્રેડીટના મલ્ટીડીસીપ્લીનરીના સર્ટીફીકેટ કોર્ષને શરૂ કરવાની મંજુરી એકેડેમીક કાઉન્સીલ દ્વારા આપવામાં આવી હતી.

“અમે હિન્દુ અભ્યાસમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ, જે છ મહિનાનો પ્રમાણપત્ર કોર્સ હશે. અમે આગામી મહિનાઓમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં પણ તેની શરૂઆત કરીશું. અમે ડિપ્લોમા કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરીશું. અમે હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂક કરીશું, તેવું કુલપતિ કિશોરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

આ પણ વાંચો : Surat : વેપારીઓની માંગને લઈને દર્શના જરદોશ અને સી.આર.પાટીલ નાણામંત્રીને મળ્યા

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
g clip-path="url(#clip0_868_265)">