AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

પોસ્ટ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે
Surat: The post department will now print tickets with photos to commemorate the birthday
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 16, 2021 | 6:27 AM
Share

Surat આજના ડિજિટલ યુગમાં પોસ્ટ વિભાગ(Post Department )ખાતે આવતી ટપાલની સંખ્યા લગભગ નહિવત થઇ ગઇ છે જેથી પોસ્ટ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ડિજિટલ યુગ પહેલા ટપાલ તથા પોસ્ટ વિભાગ નો અનેરો હતો. ગામડાંથી લઈને શહેર સુધી તમામ જગ્યાએ ટપાલ લખવાનું મહત્વનું માધ્યમ હતું. પરંતુ જ્યારથી ડિજિટલ યુગ શરૂ થયો છે. ત્યારથી હવે મોટાભાગના સંદેશ વ્યવહાર સોશિયલ મીડિયા કે ડિજીટલના અન્ય માધ્યમો થકી આસાન બની ગયા છે. જેથી હવે પોસ્ટ વિભાગની કામગીરી ધીરે ધીરે ભુલાતી જાય છે.

હાલ જ્યારથી ડિજિટલ માધ્યમો વધ્યા છે ત્યારથી પોસ્ટ વિભાગ અને ટપાલ નું મહત્વ એકંદરે ઘટતું જોવા મળ્યું હતું. હાલ પણ ટપાલ વ્યવહાર નહિવત જણાઈ રહ્યો છે. જેને જીવંત રાખવા માટે અવારનવાર પોસ્ટ વિભાગ દ્વારા નાના મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

હાલના સમયમાં સરકારી કાગળો, મેગેઝિન સહિતની વસ્તુઓની ડિલિવરી માટે પોસ્ટ વિભાગના કર્મચારી ઘરે ઘરે ફરતા જોવા મળે છે. ટપાલ માટે ભાગ્યે જ આપવા જવાનું થતું હોય છે. હાલ પોસ્ટ વિભાગ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે વ્યક્તિને પોતાના જન્મદિવસ પર પોતાની ટપાલ ટિકિટ છપાવવાની સુવિધા શરૂ કરી છે.

આ ઉપરાંત મેરેજ એનિવર્સરી અને કોઈ પણ સિદ્ધિ માટે ટિકિટ પણ છુપાવાની સુવિધા શરૂ કરી છે. જેના માધ્યમથી લોકોમાં પોસ્ટ વિભાગ નું મહત્વ વધશે. આ રીતે પણ લોકો પોતાના જીવનના ખાસ દિવસને સ્પેશ્યલ બનાવી શકશે. પોતાના ફોટા વાળી ટપાલ ટિકિટ છપાવીને વ્યક્તિને ખાસ અનુભવ પણ મળશે. અને આ થકી પણ પોસ્ટ વિભાગને એક નવો વેગ મળશે.

નોંધનીય છે કે આજના સમયમાં પોસ્ટ વિભાગનું મહત્વ પણ યથાવત રહે તે માટે અવારનવાર આવા નવતર પ્રયોગો પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આ નવતર પ્રયોગને પણ લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે.

આ પણ વાંચો :

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં

આ પણ વાંચો :

Surat : ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી બંને કાંઠે, સર્જાયો આહલાદક નજારો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">