Surat : RRR નહીં પણ ‘‘5-આર’’ નાં માધ્યમથી સુરતના મેયર, દિલ્હીમાં સમજાવશે શહેરના વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન

વેસ્ટ મેનેજમેન્ટ (Waste Management )થકી સુરત મનપાને કેવી રીતે વાર્ષિક 89 કરોડની બચત થાય છે તે અંગે પણ અન્ય શહેરોને માહિતગાર કરાશે.

Surat : RRR નહીં પણ ‘‘5-આર’’ નાં માધ્યમથી સુરતના મેયર, દિલ્હીમાં સમજાવશે શહેરના વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન
Surat City Mayor (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 1:21 PM

સ્વચ્છતા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા(SMC)  દ્વારા સૂકો (Dry Waste )અને ભીનો કચરો(Wet Waste ) અલગ લેવામાં આવે છે. તેમજ ‘‘5-આર’’ના માધ્યમથી શહેરમાં વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સુરત મનપાની આ કામગીરીની નોંધ કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવી છે. જે અંતર્ગત એજન્ડા ઈન્ડિયા સર્ક્યુલ૨ ઈકોનોમી ફોરમ (Agenda India Circular Economy Forum) દ્વારા તા.2 અને 3 જૂન એમ બે દિવસ દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે દેશનાં વિવિધ શહેરના પ્રતિનિધિઓ સાથે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેર વતી મેયર હેમાલી બોઘાવાલાને ‘ઈમ્પોર્ટન્સ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ’ પેનલમાં આમંત્રિત કરાયાં છે.

ગુરુવારે સુરતના હેમાલી બોઘાવાળા આ પેનલમાં ભાગ લેશે અને તેમની સાથે ICSWM (ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) ના ડાયરેક્ટર સત્યેન્દ્ર વૈઘ, સિનિયર પોલિસી ઓફિસર તેમજ ઈક્લુઝિવ સર્ક્યુલર ઈકોનોમી એક્સપર્ટ યુરોપિયન એન્વાયરમેન્ટ બ્યુરોના પાયોર્ટ બાર્કઝક, ગ્રીન ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર આશિષ સચદેવ, દિલ્હીની સાયન્સ એન્ડ ટેક્નોલોજી એમ્બેસી ઓફ હન્ગ્રીના કાઉન્સિલર હીલ્ડા ફાર્કસ અને સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભાગ લેશે.

આ પેનલ ચર્ચામાં મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સુરત મનપા દ્વારા વેસ્ટ સેગ્રીગેશન માટે કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સુરતમાં 5-આર (રિફ્યુસ, રિયૂઝ, રિડ્યુસ, રિપર્પસ, રિસાઇકલ) ના માધ્યમથી કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપવામાં આવશે. તેમજ વેસ્ટ મેનેજમેન્ટ થકી સુરત મનપાને કેવી રીતે વાર્ષિક 89 કરોડની બચત થાય છે તે અંગે પણ અન્ય શહેરોને માહિતગાર કરાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધનીય છે કે સુરત શહેરમાં જે રીતે ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે, તેની નોંધ અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા પણ લેવામાં આવે છે. સુરતમાં કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૂકા કચરા અને ભીના કચરાને અલગ કરીને જરૂર પડ્યે તેને રીસાઇકલ કરવામાં આવે છે. એટલું જ નહીં પ્લાસ્ટિકમાંથી પણ પ્લાસ્ટિક રોડ બનાવવાની સુરત કોર્પોરેશને પહેલ કરી હતી. તે પછી મંદિરોમાંથી નીકળતા પૂજાપાને પણ રીસાઇકલ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે, જેને શહેરોના બાગ બગીચામાં વાપરવામાં આવે છે. આ તમામ બાબતો સેમિનારમાં રજૂ કરવામાં આવનાર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">