Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

પાલિકા હવે બીજા ડોઝ માટે ટાર્ગેટ રાખીને આગળ વધવા માંગે છે. તે માટે પહેલાથી નોક ઘી ડોર કેમ્પેઈન ચાલી જ રહ્યું છે અને હજી પણ આ ઝુંબેશને સઘન બનાવીને શહેર આખાની વસ્તીને ફુલ્લી વેક્સિનેટેડ કરવાનો ટાર્ગેટ હવે મહાનગરપાલિકાનો છે

Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે
Follow Us:
| Updated on: Oct 05, 2021 | 10:51 PM

Surat: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની 100 ટકા વસ્તીને વેક્સિનેશનનો(vaccination) પહેલો ડોઝ આપવામાં સફળતા મળી છે.  રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના માઈક્રો મેનેજમેન્ટ અને ઉમદા કામગીરીનું આ પરિણામ છે. જેણે રાજ્યના અન્ય શહેરોને પછડાટ આપી છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા તબક્કાવાર કામગીરી આગળ વધારવામાં આવી છે. સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વોરિયર્સ, સિનિયર સીટીઝન, ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો વગેરેને આવરી લેવામાં આવ્યા હતા. ઔદ્યોગિક એકમો, ટેક્સ્ટાઈલ માર્કેટ અને ડાયમંડ યુનિટો માટે પણ અનેક સામાજિક સંસ્થાઓના સહયોગથી વેક્સિનેશનની કામગીરી ઝડપી બને તે દિશામાં પાલિકા પ્રયત્નશીલ રહી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર મળેલા આંકડા પર નજર કરીએ તો પાલિકાએ 50,90,916 કુલ વસ્તી સામે વેક્સિનના પહેલા ડોઝ માટે 34,32,737 વસ્તીને ટાર્ગેટ રાખ્યો હતો. જેમાંથી મનપાએ 34,36,213 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. જ્યારે 16,61,844 લોકોને બીજો ડોઝ આપી દીધો છે. એટલે કે પહેલા ડોઝ માટે પાલિકાને 100.1 ટકા સફળતા મળી છે. જ્યારે બીજા ડોઝ માટે પાલિકા એ 48.4 ટકા ડોઝ આપવામાં સફળતા મેળવી છે.

આંકડા પ્રમાણે જોવા જઈએ તો સુરત મનપા રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં અવ્વ્લ રહી છે. સુરત કોર્પોરેશન 100.10 ટકાના લક્ષ્યાંક સાથે પહેલા નંબરે છે. તે પછી રંગીલા રાજકોટનો નંબર આવે છે. રાજકોટમાં 96.20 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. તે પછી અમદાવાદ 93 ટકા સાથે વડોદરા કોર્પોરેશન 89.53 ટકા સાથે અને ભાવનગર કોર્પોરેશન 89.48 ટકા સાથે પાંચમા નંબરે આવે છે.

આમ, હવે પાલિકા હવે બીજા ડોઝ માટે ટાર્ગેટ રાખીને આગળ વધવા માંગે છે. તે માટે પહેલાથી નોક ઘી ડોર કેમ્પેઈન ચાલી જ રહ્યું છે અને હજી પણ આ ઝુંબેશને સઘન બનાવીને શહેર આખાની વસ્તીને ફુલ્લી વેક્સિનેટેડ કરવાનો ટાર્ગેટ હવે મહાનગરપાલિકાનો છે. કોરોનાના કેસો કાબુ કર્યા બાદ વેક્સિનેશનમાં પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉમદા રહી છે.

આ પણ વાંચો : Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

આ પણ વાંચો : Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">