સુરતમાં ગત તારીખ 28મીએ સારવાર માટે વેસુ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં શિવદયાલને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે સવારે તેમને વોર્ડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો અને સિકયુરિટી ગાર્ડે તેને ફરી વોર્ડમાં મોકલ્યો હતો. આખરે તેને ધારેલ પગલું ભરી લીધું. સમરસ કેર સેન્ટરમાં નવમા માળે વોર્ડમાં બાથરૂમમાં સ્લાઈડરની બારીમાંથી નીચે ઝંપલાવ્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અંગે આરોગ્ય અધિકારીઓ તથા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે ધસી જઈ કાર્યવાહી શરૂ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય પોલીસ જવાન તથા સિક્યુરિટી ગાર્ડ અને મેનેજર સહિતના પીપીઈ કિટ અડધોથી પોણો કલાક સુધી પહેરીને તેમના મોત અંગેના કાગળીયા બનાવવાની કામગીરી કરી હતી. બાદમાં તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ લઈ ગયા હતા. શિવદયાલ મજૂરી કામ કરતા હતા, જ્યારે બીજી તરફ તેને મિત્ર સાથે ફોન પર વાત થઈ હતી જેમાં કહ્યું હતું કે મને ગમતું નથી એવું ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ બનાવને લીધે ત્યાં સારવાર લેતા અન્ય દર્દીઓમાં પણ ગભરાટ જોવા મળ્યા હતા. હાલમાં આ અંગે ઉમરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો