Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના
વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં ભાજપે હવે સ્થાનિક નગરસેવકોને પણ લોકોના પ્રશ્નોએ સાંભળી હલ કરવા, તેમજ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે હવે ધારાસભ્યોની જેમ પોતાના જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના આપતા સુષુપ્ત રહેલા તમામ નગરસેવકોએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Surat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 સીટો ગુમાવનાર ભાજપ(BJP) પાર્ટી દ્વારા હવે વિધાનસભાની(legislative assembly ) તૈયારીઓ વહેલી શરૂ કરી દેવામાં આવી છે.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે વોર્ડ સંગઠન અને સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વોર્ડ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક વધારવા તેમજ સતત લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળવા સૂચના આપી દેવામાં આવી છે.
સુરત શહેર ભાજપના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને હવે પોતાના વિસ્તારમાં પોતાનું કાર્યાલય શરૂ કરવા માટેની સૂચના મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દ્વારા આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા સુરત આવેલા રાષ્ટ્રીય ભાજપના મહામંત્રી તરુણ ચુગ એ તમામ કોર્પોરેટરો, ધારાસભ્યોને પોતાના મતવિસ્તારોમાં કાર્યાલય શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.
સુરત મનપામાં ભાજપના નગરસેવકોને આ અંગે સૂચના આપવાની જવાબદરી રાષ્ટ્રીય મહામંત્રીએ સીધી જ શાસકપક્ષના નેતા અમિત રાજપૂતને આપી હતી. જેને પગલે શાસક પક્ષના નેતાએ ભાજપના ચૂંટાયેલા તમામ 93 કોર્પોરેટરોને રાષ્ટ્રીય મહામંત્રીની સૂચના પહોંચાડી દીધી છે. એટલું જ નહીં 15 દિવસમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરીને તેના સ્થળ અને કાર્યાલયના ફોટાઓ સહિતની વિગતો રજૂ કરવા પણ સૂચના આપી છે.
નોંધનીય છે કે અત્યારસુધી તમામ ધારાસભ્યોના જનસંપર્ક કાર્યાલયો ચાલતા હતા. પણ હવે લોકો સાથે સીધો સંપર્ક કરીને ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ તે માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના 93 પૈકી કેટલાક કોર્પોરેટરોના પોતાના કાર્યાલયો ચાલે જ છે. જયારે મોટાભાગના કોર્પોરેટરો પોતાના ઘરેથી જ સંચાલન કરે છે. આવા કિસ્સામાં લોકો સાથે તેઓ સીધા સંપર્કમાં રહી શકતા નથી.
વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં ભાજપે હવે સ્થાનિક નગરસેવકોને પણ લોકોના પ્રશ્નોએ સાંભળી હલ કરવા, તેમજ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે હવે ધારાસભ્યોની જેમ પોતાના જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના આપતા સુષુપ્ત રહેલા તમામ નગરસેવકોએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જ્યાં સુધી સુરત મહાનગરપાલિકાની વાત છે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાંથી જ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. ત્યારે કોઈપણ ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે હવે ભાજપ પણ રણનીતિ થી આગળ વધવા માંગે છે. ભલે વિધાનસભા ચૂંટણીને વાત હોય પણ તૈયારીઓ તો ભાજપે શરૂ કરી જ દીધી છે.
આ પણ વાંચો :
Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા
આ પણ વાંચો :