AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

જેમાં ખાસ કરીને નવરાત્રિના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકોએ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:11 PM
Share

કોરોના (Corona) બાદ પ્રથમવાર નવરાત્રીની (Navratri 2021) ઉજવણીની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે .પરંતુ આ છૂટ માત્ર શેરી ગરબા પૂરતી આપવામાં આવી છે. શહેરમાં આ વખતે કોઈપણ જાતના નવરાત્રીના ધંધાદારી આયોજનો થશે નહીં જેના કારણે નવરાત્રીના તહેવારની સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જેમાં ઓરકેસ્ટ્રાના કલાકારોએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ છૂટક મજૂરી કરવાનો વારો આવ્યો છે.

શેરી ગરબાની છૂટ મળવાથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ એવા ઘણા લોકો છે જે નવરાત્રી સાથે જોડાયેલા છે. જેઓની કમાણીનું સાધન માત્ર નવરાત્રીના આ નવ દિવસ હોય છે. આ લોકોએ હાલ પરિવારનું ગુજરાન માટે ફાંફા પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને નવરાત્રીના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકો એ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

છેલ્લા 30 વર્ષથી ઓરકેસ્ટ્રાના કલાકાર તરીકે કામ કરી રહેલા સંતોષ કાળજે કહે છે કે “તેઓ ઓલરાઉન્ડર કલાકાર છે. તેવો ડ્રમ, કોંગો અને ઢોલક વગાડતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી થઈ ન હતી .આ વખતે કેસ ઘટી જતાં નવરાત્રીની આશા હતી. પરંતુ સરકારે છૂટ નહીં આપતા મારે પરિવારના આઠ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ અઘરું થઈ ગયું છે.

હું અને મારો દીકરો બન્ને જ ઓરકેસ્ટ્રામાં કામ કરીએ છીએ. પરંતુ અમે બંને હવે કઈ રીતે કામ કરીએ. મારે હવે છૂટક મજૂરી કરવી પડે છે. જેમાં ક્યારેક કામ મળે છે અને ક્યારેક કામ નથી મળતું .મજૂરીના પણ 500થી 600 રૂપિયા મળતા હોય છે. પરિવારનું ગુજરાન ચલાવું અત્યારે ખૂબ જ અઘરું થઈ પડ્યું છે.

બીજી તરફ ઓજસભાઈ જરીવાલા કહે છે કે હું પણ ઓરકેસ્ટ્રામાં 30 વર્ષથી કામ કરી રહ્યો છું. મારી સાથે મારી પત્ની પણ સિંગર છે. પરંતુ નવરાત્રીમાં આ વખતે ધંધાદારી આયોજનો થવાના નથી. જેના કારણે અમે જે નવ દિવસમાં 25,000થી 30,000 કમાઈ લેતા હતા. તે હવે શક્ય નથી.

નવરાત્રીની કમાણી પર જ અમારી આખી ઘરની દિવાળી નિર્ભર હોય છે. અમને કોઈ કામ પણ નથી આપતું. કારણકે અમને બીજો કોઈ અનુભવ નથી. તે લોકો અમારો અનુભવ માંગતા હોય છે. અમે ઘરના અને ઈન્સ્ટ્રુમેન્ટ માટે જે લોન લીધી હોય તેના પણ હપ્તા ચાલતા હોય છે. તે પણ હવે નથી ભરાતા.

આ પણ વાંચો : Surat: એવું તો શું છે આ લેડીઝ પાર્લરમાં કે મહિલાઓ ત્યાં જતા ડરે છે!

આ પણ વાંચો : Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">