સુરતમાં ઉત્સાહ ભેર કૃત્રિમ તળાવોમાં પણ ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત થઇ હતી. છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પણ મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણ ને કોઈ નુકશાન ન થાય.
મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું. શહેરની વસ્તી અંદાજે 60 લાખથી વધુની છે. તેમજ સરેરાશ રોજના 200 લીટર પાણીનો વપરાશ પ્રતિ વ્યક્તિ દીધી ગણીએ તો પણ કુલ 10 લાખ લોકોને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું છે.
રાત્રે 9 વાગ્યે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. વહેલી સ્વાર્થી જ રાઉન્ડ ધ ક્લોક ફરતા રહેનારા મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે વિસર્જન સમયસર અને શાંતિથી સંપન્ન થયું છે તે માટે સુરતવાસીઓની જાગૃતિ અભિનંદનને પાત્ર છે. મોટા ભાગે ગાઈડલાઇનના પાલન સાથે સુરતવાસીઓએ વિસર્જન યાત્રા કાઢી છે અને આ વર્ષે ઘરઆંગણે વિસર્જનનું પ્રમાણ પણ મોટું રહ્યું છે.
તાપી નદીમાં વિસર્જન નહીં કરીને કૃત્રિમ તળાવ બનાવવાથી પર્યાવરણને પણ એક મોટો ફાયદો થયો છે. જોકે આ વર્ષે તો ભક્તોએ કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન નહીં કરીને ઘર આંગણે જ ગણેશજીનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી રીતે કરતા તે પણ એક મોટી જાગૃતિ અને પર્યાવરણ માટે મોટું યોગદાન ગણી શકાય છે.
આ વર્ષે એક પણ સ્થળે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસને પણ મોટી રાહત થઇ છે. વ્યવસ્થામાં 9 હજાર કરતા પણ વધુનો પોલીસ સ્ટાફ જોતરાયો હતો. અને કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું હતું.
આ પણ વાંચો :