Surat: લાજપોરમાં હવે જેલના કેદીઓના હાથે બનાવાયેલા ભજીયાા ખાવા મળશે, 80 લાખના ખર્ચે શરૂ કરાયું ભજીયા હાઉસ

|

Sep 30, 2021 | 9:03 PM

સુરતથી નવસારી, વલસાડ કે મુંબઇ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામ દાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખીને 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

Surat: લાજપોરમાં હવે જેલના કેદીઓના હાથે બનાવાયેલા ભજીયાા ખાવા મળશે, 80 લાખના ખર્ચે શરૂ કરાયું ભજીયા હાઉસ

Follow us on

સુરતના (Surat) લોકોને ટેસ્ટ પણ મળી રહે અને સાથે સાથે કેદીઓને રોજગારી પણ મળી રહે તે હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ(Bhajiya House)ની શરૂઆત કરવામાં આવી છે. આ ભજીયા હાઉસ 80 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. અહીં ભજિયા ઉપરાંત અલગ અલગ 17 પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

 

સુરતીઓને ટેસ્ટી ખાવાનું પસંદ છે. તેઓ સ્વાદના શોખીન છે. સુરતીઓને આકર્ષવા માટે આમ તો છેલ્લા 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસ ચલાવવામાં આવી રહ્યું હતું . પહેલાં ઉધના દરવાજા રિંગ રોડ ઉપર આવેલી જૂની સબજેલમાં આ ભજીયા હાઉસ ચાલતું હતું, જે છેલ્લા કેટલાંક વર્ષથી લાજપોર શિફ્ટ થઈ ગઈ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

સુરતથી નવસારી, વલસાડ કે મુંબઈ જતા લોકોને આકર્ષી શકાય આ ઉપરાંત તેની સાથે તેમને આરામદાયક બેસવાની જગ્યા પણ મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે આઉટ હાઉસના કલ્ચરને ધ્યાનમાં રાખી ને આ 80 લાખના ખર્ચે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવ્યું છે.

 

આ ભજીયા હાઉસની ખાસિયત એ છે કે અહીં જેલના કેદીઓ દ્વારા જ તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ભજીયા હાઉસનું સંચાલન પણ તેમના જ હસ્તે થશે .અહીં ભજિયા ઉપરાંત જુદા જુદા પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. જે સંપૂર્ણ હાઈજિનિક છે. અહીં આવતા લોકોને તો નવો ટેસ્ટ મળશે જ, પરંતુ કેદીઓને હાથે અહીં વાનગીઓ વેચાણમાં મુકવાના આ કન્સેપ્ટને કારણે કેદીઓને પણ પગભર થવાનો મોકો મળશે.

 

સુરતમાં એમ પણ લારી કલચર અને નાસ્તાની લારીઓ અને ઢાબાનું ચલણ ખુબ વધારે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલ પર કેદીઓના હાથે બનતા ભજીયા સુરતીઓએ ભરપેટ ખાધા છે પણ હવે લાજપોરમાં પણ કેદીઓને પગભર થવાનો મોકો આ ભજીયા હાઉસ થકી મળ્યો છે. અહીં જૂનું જે હાઉસ હતું, ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હતી પણ હવે આ નવા ભજીયા હાઉસમાં બેસવાની યોગ્ય વ્યવસ્થાની સાથે અહીંથી અવરજવર કરતા લોકોને ભજીયા ખાવાની મજા માણવાનો મોકો પણ મળશે.

 

 

આ પણ વાંચો : Surat : રખડતા ઢોરોના ત્રાસના ઉકેલ માટે નવી નીતિ રજૂ, હવે દંડ 500 થી 4000 સુધીનો કરાશે

 

આ પણ વાંચો : Surat : આજે વર્લ્ડ હાર્ટ ડે : રાજ્યમાં સૌથી વધુ હૃદયનું દાન કરવામાં સુરત “દિલ” દાર

Next Article