Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વકરેલા રોગચાળા વચ્ચે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, SMCના મ્યુ.કમિશનરે આ નિર્ણય કર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે તહેવાર સમયે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના વધતા જતા કેસ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આજે રજાના દિવસે બેઠક બોલાવી હતી. અધિકારીઓની આ બેઠકમાં મ્યુ.કમિશનરે રોગચાળાના આંકડા છુપાવતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો