AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતની લાજપોર જેલના કેદીઓ રજુ કરી વ્યથા, જુઓ કેદીઓના પશ્ચાતાપનો હૃદયસ્પર્શી વીડિયો

ગુનાખોરી ડામવા માટે એક નવતર પહેલ ગણી શકાય તેવા આ વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જે જિલ્લા પોલીસ દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે.

સુરતની લાજપોર જેલના કેદીઓ રજુ કરી વ્યથા, જુઓ કેદીઓના પશ્ચાતાપનો હૃદયસ્પર્શી વીડિયો
Surat District Police released a heart touching video of Lajpore Jail inmates
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 04, 2022 | 10:41 PM
Share

ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગુનાઓને ડામવા માટે અને રોકવા માટે સુરત (Surat) પોલીસ અને જીલ્લા પોલીસ (POLICE) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુના કર્યા બાદ આરોપીને શું સજા થાય અને ક્ષણિક આવેશમાં આવી કરેલી ભૂલને કારણે તેના પરિવાર અને સંતાનોને શું વેદના થાય છે તેનો ચિતાર લાજપોર જેલના કેદીઓના મુખે રજૂ કરતો એક હૃદયસ્પર્શી (Heart touching) વીડિયો (Video) પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે સાંભળતા થોડા સમય માટે આંખો ભીની થઇ જ જાય છે. ગુનાખોરી ડામવા માટે એક નવતર પહેલ ગણી શકાય તેવા આ વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જે જિલ્લા પોલીસ દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં નાની નાની વાતોમાં ગુનાખોરી કરી ગુનાને અંજામ આપવાના કીસ્સો એક સમસ્યા છે. ગુના કરવા પાછળ અનેક કારણો હોય છે. કેટલાક ગુનાઓમાં તો નજીવી બાબત હોય છે. ગુનો કર્યા બાદ આરોપીનું જીવન નર્કાગાર બની જતું હોય છે. જેલમાં પરિવારની હૂંક વિના વર્ષોના વર્ષો કાઢવા પડે છે. જે ગુનો કરે છે તેને સજા તો મળે જ છે આ સાથે તેના પરિવારને પણ સજા ભોગવવી પડે છે. જે જેલમાં રહેલા કેદી કરતા પણ વધી જતી હોય છે. જેલમાં એક જ વ્યક્તિને સજા મળે છે.

જ્યારે બહાર તેના પરિવારના તમામ સભ્યોને સજા ભોગવવાનો વારો આવે છે.જે આરોપી પરિવારનો એક જ કમાઉ હોય તો પરિવાર પર આભ તૂટી પડે છે. પરિવાર પર ગુનેગારના પરિવાર તરીકેનું લેબલ લાગી જતું હોય છે. જેના કારણે સામાજિક ભોગો પણ ગુમાવવો પડે છે. કેદીઓએ જણાવ્યું હતું કે, ગુનો કર્યા બાદ સન્માન છિનવાઈ જાય છે. સંતાનો કે પરિવારના બીજા સભ્યોના લગ્ન કરવાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સહિતની સમસ્યાઓ અંગેનો ચિતાર આપતો વીડિયો જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા જ વર્ણવવામાં આવ્યો હતો. રેન્જ આઈજી અને સુરત ડીએસપી દ્વારા ગુનાખોરી ડામવા માટે કરાયેલા આ નવતર પ્રયોગરૂપી વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિમોચન કરાયું હતું. હર્ષ સંઘવીએ વીડિયોનું વિમોચન કરી લોકોને ગુનાખોરી કરતા અટકાવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો :પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલને અપાઇ સન્માનજનક અનોખી વિદાય, લીના પાટીલની ભરૂચ ખાતે બદલી થઇ

અનિલ કપૂરે ‘બેટા’ના 30 વર્ષની ઉજવણી કરતા માધુરી દીક્ષિત સાથે શેર કર્યા ખાસ ફોટોઝ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">