Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ

સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:32 PM

ગયા વર્ષે કોરોનાના(Corona) કારણે ગણપતિ ઉત્સવ (Ganesh Festival) ઉજવાઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે મોડે મોડે પણ ગાઈડલાઈન નક્કી કરીને અને ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપી છે. ત્યારે ગણપતિ મંડળોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. શુક્રવારે ગણેશ ચતુર્થી છે, ત્યારે આજે સવારથી જ સુરતના અલગ-અલગ વિસ્તારમાં ગણપતિ આગમનને લઈને ભક્તો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે આ આગમન યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોય તેવું ચોક્કસથી દેખાયું હતું. સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જોકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક પણ નિયમનું પાલન આ ગણપતિની આગમન યાત્રામાં જોવા મળ્યું ન હતું. અડાજણ વિસ્તારમાં નીકળેલી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં અસંખ્ય લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જયારે સોશિયલ ડિસ્ટનસીંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. બાપ્પાને જોવા આવેલા ભક્તો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવ ઉજવી ન શકેલા ગણેશ ભક્તો આ વખતે ગણપતિ ઉત્સવની લઈને ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતાં આ ઉત્સાહ બમણો પણ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી કોરોના સંક્રમણની વાત છે, ત્યાં હવે ભક્તોમાં કોરોનાનો ડર ઓછો એટલા માટે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે મોટાભાગના લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

સુરતમાં 84 ટકા લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે. તેવામાં કોરોનાનો ડર પણ લોકોમાં ઓછો જોવા મળ્યો છે અને આજ કારણ છે કે સાર્વજનિક ગણેશોત્સવમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આગમન યાત્રા અને વિસર્જન યાત્રામાં માત્ર 15 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન થયું હોય તેવું દેખાયું ન હતું. ગણપતિ આગમનને લઈને બજારોમાં અને રસ્તા પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">