સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે

અત્યાર સુધી મહાનગરપાલિકાએ કોઈ નિયમ ઘડ્યા નહોતા પણ હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે મોબાઈલ ફૂડ કોર્ટને પણ કાયદાના દાયરામાં આવરી લેવાનું નક્કી કર્યું છે. 

સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 8:23 PM

સુરત શહેરમાં ખાણીપીણીના લારી ગલ્લા અને કાઉન્ટરો બાદ હવે ઠેર ઠેર મનફાવે ત્યાં ઉભા રહી જતા ફૂડ ટ્રક કે મોબાઈલ ફૂડ કોર્ટ માટે અત્યાર સુધી મહાનગરપાલિકાએ કોઈ નિયમ ઘડ્યા નહોતા પણ હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે (Health Department) મોબાઈલ ફૂડ કોર્ટને પણ કાયદાના દાયરામાં આવરી લેવાનું નક્કી કર્યું છે.

 

હવે મોબાઈલ ફૂડ કોર્ટ માટે પણ આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવવા અને ફૂડ વિભાગનું લાયસન્સ લેવું ફરજીયાત કરવામાં આવશે. તે ઉપરાંત વ્હીલર ટેમ્પો કે વાહન માટે 10 હજાર અને ફોર વ્હીલર વાહન કે ફૂડ ટ્રક માટે 15 હજાર વાર્ષિક પરમીટ ફી નક્કી કરવામાં આવશે. મોબાઈલ ફૂડ કોર્ટની નોંધણી, ફૂડ લાયસન્સ તથા જે જગ્યાએ વાહન ઉભું રહેવાનું હોય ત્યાંના રફ નકશા સાથે ફાયર એન.ઓ.સી. મેળવ્યા બાદ પરમીટ માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પરમીટ ચોક્કસ દિવસ, ચોક્કસ સ્થળ અને સાંજે 6થી 11ના સમય માટે જ મળી શકશે. અન્ય સમય માટે અલગ અરજીમાં પરવાનગી લેવાની રહેશે. આવા સંખ્યાબંધ નિયમો અને નિયમભંગના કિસ્સામાં રૂ. 500થી લઈને રૂ. 5 હજાર સુધીના દંડ સહિતની નવી સૂચિત નીતિ આગામી સ્થાયી સમિતિ માટે શાસકોની મંજૂરી માટે મુકવામાં આવી છે.

મનપાના આરોગ્ય વિભાગ પાસેથી દરેક ફૂડ કોર્ટે FSSAI સંલગ્ન ફૂડ બિઝનેસ ઓપરેટરનું લાયસન્સ લેવાનું પણ જરૂરી બનાવવામાં આવ્યું છે. ખાનગી જગ્યામાં પણ મોબાઈલ ફૂડ કોર્ટ રાખવા માટે માલિકના પરવાનગી પત્ર સાથે નોંધણી, પરમીટ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ સાથે રસ્તા પર ટેબલ ખુરશીઓ ન મુકવા, રહેણાંક વિસ્તારમાં ન્યુસન્સ ન થાય એ રીતે મોબાઈલ ફૂડ કોર્ટ ઓછામાં ઓછા 10 ફૂટના અંતરે રાખવા.

ઘોંઘાટ કે મ્યુઝિક ન ચલાવવા, ખાદ્યપદાર્થ તૈયાર કરવાની તમામ સામગ્રી મોબાઈલ ફૂડ કોર્ટ પર જ રાખવા, સૂકા ભીના કચરાનો યોગ્ય નિકાલ, વારંવાર વાસણ અને હાથ ધોવા માટે પાણીની સિન્કની વ્યવસ્થા, ટ્રાફિકને અડચણ ન થાય એ રીતે ગ્રાહકોના વાહનો પાર્ક કરાવવા સહિતના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. મોબાઈલ ફૂડ કોર્ટ માટે ચોક્કસ કલર કોડ પણ રાખવો પડશે. આ ઉપરાંત આ નિયમોના ભંગ કરનાર સામે આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">