AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશનના 100થી વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા વિચારણા

હવે કોર્પોરેશન (SMC) તેના 100 કરતા પણ વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેના પર ચોક્કસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. 

Surat : કોર્પોરેશનના 100થી વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા વિચારણા
સુરત કોર્પોરેશનના વેન્ટિલેટર ભાડેથી આપવા વિચારણા (ફાઈલ ઇમેજ )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 9:11 AM
Share

સુરત મહાનગરપાલિકા(SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીડિયાટ્રીક્સ(Pediatric ) નિઓનેટલ દરદીઓ (બાળકો)ની માટે ત્રણ નિઓનેટલ વેન્ટિલેટર(Ventilator ) અને છ આઇસીયુ વેન્ટિલેટર ખરીદવા માટે સોમવારે સ્મીમેર હોસ્પિટલની એક્ઝિક્યુટિવ કમિટીઓ મંજૂરી આપી છે. કોરોનાની ત્રીજી નહેર દરમિયાન ઉપસ્થિત થયેલ વિષમ પરિસ્થિતિને કારણે મનપા દ્વારા ખરીદવામાં આવેલ અને સીએસઆર હસ્તક વિવિધ ઉદ્યોગગૃહો તરફથી મળેલા 102 વેન્ટિલેટરો હાલ વગર વપરાયેલ હાલતમાં પડેલા છે. આ 102 વેન્ટિલેટરોના ઉપયોગ બાબતે એક્ઝિક્યુટિવ કમિટીમાં વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.

હવે હયાત સ્મીમેર હોસ્પિટલના અપગ્રેડેશન બાદ 40 થી 50 વેન્ટિલેટરોની જરૂર પડી શકે તેમ છે. સુરત મનપાના સૂત્રો મુજબ, હાલ ધૂળ ખાઇ રહેલ 102 વેન્ટિલેટરો સિવિલ અથવા ખાનગી હોસ્પિટલોને જરૂરિયાત મુજબ, લોન પર ફાળવવાની વિચારણા થઇ રહી છે જેથી વેન્ટિલેટરો સક્રિય સ્થિતિમાં રહે એટલું જ નહીં, મસ્કતિ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર તથા આગામી દિવસોમાં દરેક ઝોન દિઠ બનનારી 50 બેડની હોસ્પિટલો માટે બે-બે વેન્ટિલેટરો ફાળવવા માટે પદાધિકારીઓ અને મનપા કમિશનરે મન બનાવ્યું છે.

વેન્ટિલેટરો ઉપયોગમાં ન હોય તો મેઇન્ટેનન્સનો પ્રશ્ન ઉપસ્થિત થ શકે છે. સ્મીમેરના અપગ્રેડેશન બાદ હવે વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે સિવિલ કે ખાનગી હોસ્પિટલો પાસે લોન પર આપેલ જરૂર જેટલાં વેન્ટિલેટરો પરત મેળવી શકાય તેમ છે. હાલ આ બાબતે કોઇ નિષ્કર્ષ પર તંત્ર આવ્યું નથી.

પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ખરીદાયેલ અને સીએસઆર હેઠળ મળેલા કુલ 102 વેન્ટિલેટરો તંત્ર માટે માથાને દુઃખાવો બની ગયા છે. તેથી આ સ્મીમેરની એક્ઝિક્યુટિવ કમિટીમાં આ હાલ બિનઉપયોગી પડી રહેલ 102 વેન્ટિલેટરોની વ્યવસ્થા કઇ રીત કરવી ? તેનો રોડમેપ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આમ, હવે કોર્પોરેશન તેના 100 કરતા પણ વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેના પર ચોક્કસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો :

Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">