Surat : કોર્પોરેશનના 100થી વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા વિચારણા

હવે કોર્પોરેશન (SMC) તેના 100 કરતા પણ વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેના પર ચોક્કસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. 

Surat : કોર્પોરેશનના 100થી વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા વિચારણા
સુરત કોર્પોરેશનના વેન્ટિલેટર ભાડેથી આપવા વિચારણા (ફાઈલ ઇમેજ )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 9:11 AM

સુરત મહાનગરપાલિકા(SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીડિયાટ્રીક્સ(Pediatric ) નિઓનેટલ દરદીઓ (બાળકો)ની માટે ત્રણ નિઓનેટલ વેન્ટિલેટર(Ventilator ) અને છ આઇસીયુ વેન્ટિલેટર ખરીદવા માટે સોમવારે સ્મીમેર હોસ્પિટલની એક્ઝિક્યુટિવ કમિટીઓ મંજૂરી આપી છે. કોરોનાની ત્રીજી નહેર દરમિયાન ઉપસ્થિત થયેલ વિષમ પરિસ્થિતિને કારણે મનપા દ્વારા ખરીદવામાં આવેલ અને સીએસઆર હસ્તક વિવિધ ઉદ્યોગગૃહો તરફથી મળેલા 102 વેન્ટિલેટરો હાલ વગર વપરાયેલ હાલતમાં પડેલા છે. આ 102 વેન્ટિલેટરોના ઉપયોગ બાબતે એક્ઝિક્યુટિવ કમિટીમાં વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.

હવે હયાત સ્મીમેર હોસ્પિટલના અપગ્રેડેશન બાદ 40 થી 50 વેન્ટિલેટરોની જરૂર પડી શકે તેમ છે. સુરત મનપાના સૂત્રો મુજબ, હાલ ધૂળ ખાઇ રહેલ 102 વેન્ટિલેટરો સિવિલ અથવા ખાનગી હોસ્પિટલોને જરૂરિયાત મુજબ, લોન પર ફાળવવાની વિચારણા થઇ રહી છે જેથી વેન્ટિલેટરો સક્રિય સ્થિતિમાં રહે એટલું જ નહીં, મસ્કતિ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર તથા આગામી દિવસોમાં દરેક ઝોન દિઠ બનનારી 50 બેડની હોસ્પિટલો માટે બે-બે વેન્ટિલેટરો ફાળવવા માટે પદાધિકારીઓ અને મનપા કમિશનરે મન બનાવ્યું છે.

વેન્ટિલેટરો ઉપયોગમાં ન હોય તો મેઇન્ટેનન્સનો પ્રશ્ન ઉપસ્થિત થ શકે છે. સ્મીમેરના અપગ્રેડેશન બાદ હવે વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે સિવિલ કે ખાનગી હોસ્પિટલો પાસે લોન પર આપેલ જરૂર જેટલાં વેન્ટિલેટરો પરત મેળવી શકાય તેમ છે. હાલ આ બાબતે કોઇ નિષ્કર્ષ પર તંત્ર આવ્યું નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ખરીદાયેલ અને સીએસઆર હેઠળ મળેલા કુલ 102 વેન્ટિલેટરો તંત્ર માટે માથાને દુઃખાવો બની ગયા છે. તેથી આ સ્મીમેરની એક્ઝિક્યુટિવ કમિટીમાં આ હાલ બિનઉપયોગી પડી રહેલ 102 વેન્ટિલેટરોની વ્યવસ્થા કઇ રીત કરવી ? તેનો રોડમેપ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આમ, હવે કોર્પોરેશન તેના 100 કરતા પણ વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેના પર ચોક્કસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો :

Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">