Surat : કોરોનાને કારણે 100 પ્રિ-પ્રાયમરી સ્કૂલને તાળા લાગ્યા, સ્થિતિ સુધરવા પર શાળા શરૂ થવાનો મદાર

Surat : કોરોના સંક્રમણની બીજી લહેર ને જોતા સરકારે છેલ્લા બે વર્ષથી શાળાઓને સંપૂર્ણ રીતે બંધ રાખી છે. તેવામાં સરકાર તરફથી બધું જો યોગ્ય રહે તો 6 જુનથી નવા સત્ર શરૂ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે.

Surat : કોરોનાને કારણે 100 પ્રિ-પ્રાયમરી સ્કૂલને તાળા લાગ્યા, સ્થિતિ સુધરવા પર શાળા શરૂ થવાનો મદાર
પ્રાયમરી સ્કૂલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 21, 2021 | 7:47 PM

Surat : કોરોના સંક્રમણની બીજી લહેર ને જોતા સરકારે છેલ્લા બે વર્ષથી શાળાઓને સંપૂર્ણ રીતે બંધ રાખી છે. તેવામાં સરકાર તરફથી બધું જો યોગ્ય રહે તો 6 જુનથી નવા સત્ર શરૂ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. આ સૂચનાની વચ્ચે સુરતની સ્કૂલોએ એડમિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલમાં તેને લઈને ખાસ તેજી જોવા મળી રહી છે. આ સ્કૂલોની નજર તે વાલીઓ પર છે જેમના બાળકોની ઉંમર છ વર્ષની થઇ ચૂકી છે. અને જેઓ પોતાના બાળકોના એડમિશન નર્સરી અને પ્રાઇમરી સ્કૂલમાં કરાવવા માંગે છે. સરકારના આદેશથી જ્યારથી નવું સેશન શરૂ થશે આ સ્કૂલોને આશા છે કે માતા-પિતા પોતાના બાળકોના એડમીશન માટે આગળ આવશે.

ત્યાં જ બીજી તરફ સુરતમાં છેલ્લા એક વર્ષથી પ્રાઈમરી અને પ્રિ-પ્રાઇમરી તેમજ ધોરણ એકની સ્કૂલની હાલત ખૂબ જ ખરાબ છે. કારણકે નાની ઉંમરના બાળકોને હજી પણ માતા-પિતા સ્કૂલ મોકલવા નથી માંગતા. કોરોનાના કારણે ફી જમા ન થવાથી તેમજ વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાને કારણે સુરતના પ્રાઇમરિ સ્કૂલને બંધ કરવી પડી છે. જેમાંથી મોટાભાગની સ્કૂલ એવી છે જે ભાડાની બિલ્ડિંગમાં ચાલે છે.

ભાડાની બિલ્ડિંગમાં ચાલવા વાળી આ સ્કૂલ છેલ્લા બે વર્ષમાં ફી નથી મળી. જેથી સ્કૂલ સંચાલકો પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નથી. પ્રિસ્કૂલ એસોસીએશનની જાણકારી પ્રમાણે અલગ અલગ કેમ્પ કર્યા પછી પણ એક વર્ષમાં વિદ્યાર્થીઓ પ્રવેશ તો લઈ લે છે. પરંતુ તે પછી વાલીઓ બાળકોને અભ્યાસ માટે નથી મોકલતાં. જેના કારણે ન તો વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે અને ના તો ઓનલાઇન અભ્યાસ કરી શકે છે. કારણ કે બાળક બહુ નાનું છે જેથી તેનું ઓનલાઈન એજ્યુકેશન સંભવ નથી.

બે વર્ષમાં એક પણ સ્કુલ નથી શરૂ થઈ શકે પરંતુ છેલ્લા એક વર્ષમાં જે સ્કૂલ છે તે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકી નથી. જેના કારણે તેમને એસોસિએશનમાં પહેલા 250 સ્કૂલ હતી જે હવે ઓછી થઈને લગભગ દોઢસો સ્કૂલ જ બચી છે. સો સ્કૂલ બંધ થવાના કારણે જે લોકોએ ભાડાની જગ્યા પર સ્કૂલ ચલાવતા તેમને હવે પોતાની જગ્યા ખાલી કરી દીધી છે. આવનારા સમયમાં શું થશે તે નથી ખબર પરંતુ અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.

Latest News Updates

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન