AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર પડી રહી છે. પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે.

Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ
70 ટકા રેસ્ટોરન્ટ બંધ
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 2:14 PM
Share

ખાણીપીણી માટે જાણીતા સુરત શહેરમાં નાની મોટી 600 અને દક્ષિણ ગુજરાતમાં 3 હજાર જેટલી નાની મોટી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ આવેલી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે લોકડાઉન અને અનલોક પર સરકાર દ્વારા જ લાગુ પાડવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનમાં સૌથી પહેલા બંધ થનારી ઇન્ડસ્ટ્રી કોઈ હતી તે હોટેલ ઇન્ડસ્ટ્રી હતી અને સૌથી છેલ્લે શરૂ થનારી ઇન્ડસ્ટ્રી પણ હોટેલ ઇન્ડસ્ટ્રી જ હતી.

સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બીલના ફિક્સ ચાર્જમાં આપવામાં આવેલી રાહત ફૂલ નહીં પણ ફુલની પાંદડી સમાન જ સાબિત થશે. કારણ કે કોરોના દર્દી જેવી હાલત હાલ સુરતની અને સાઉથ ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રીઝની થઈ છે. હાલ આ ઇન્ડસ્ટ્રી વેન્ટિલેટર પર મુકાઈ ગઈ છે.

હજી પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઘણી રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી છે જેમાં રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ફેસિલિટી પહેલાની જેમ શરૂ કરવા, ટેક અવેની સુવિધા જો ચાલુ રાખવી હોય તો તેની સમય અવધિ વધારવા, 18 ટકા જીએસટીની જગ્યાએ પાંચ ટકા જીએસટી લેવા જેવી માંગણી હજી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

સાઉથ ગુજરાત હોટેલ એસોસિયેશનના ઉપપ્રમુખ સનત રેલીયાએ જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. હાલ માત્ર 25 ટકા હોટેલ ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે. સરકારે જે રાહત આપી છે તે પૂરતી નથી. કારણ કે ભાડેથી ચાલતી રેસ્ટોરન્ટ પર હજી 18 ટકા જીએસટી લેવામાં આવે છે, વીજબિલમાં ફિક્સ ચાર્જ ફક્ત મોટી હોટેલો માટે જ ફાયદાકારક છે. આ રજૂઆતો માટે પણ સરકાર વિચાર કરે તે જરૂરી છે.

અન્ય એક રેસ્ટોરન્ટ ઓનરના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આટલા કેસો વચ્ચે પણ હોટેલ રેસ્ટોરન્ટને છૂટછાટ આપવામાં આવી છે. ટેક અવેની સુવિધાથી કોઈ મોટો ફાયદો નથી થઈ રહ્યો. કારણ કે લોકો પિઝા બર્ગર સિવાય બીજું કંઈ ઓર્ડર કરી શકતા નથી. ઉપરાંત ટેક અવે લઈ જતી કંપનીઓને પણ મોટું કમિશન આપવું પડે તેવી હાલત છે. તેવામાં જો આ પરિસ્થિતિ રહી તો બાકી બચેલી ઇન્ડસ્ટ્રી પણ પડી ભાંગશે. છેલ્લા દોઢ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝને 25 કરોડથી વધુનું નુકશાન થયું છે. જ્યારે હજારો લોકો બેરોજગાર બન્યા છે.

આ પણ વાંચો: Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ

આ પણ વાંચો: Surat: મનપાના શાસકો આ તરફ પણ જરા નજર કરે! કાપોદ્રાના સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">