AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM ના વતનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ST બસ શરુ, જાણો ગુજરાતમાં અન્ય ક્યાંથી ક્યાં શરુ થઇ ખાસ બસ સેવા

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ચાર સ્થળો માત બસના ખાસ રૂટ શરુ કર્યા છે.

PM ના વતનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ST બસ શરુ, જાણો ગુજરાતમાં અન્ય ક્યાંથી ક્યાં શરુ થઇ ખાસ બસ સેવા
ST bus service will be started for four tourist destinations in Gujarat
Manish Mistri
| Edited By: | Updated on: Sep 30, 2021 | 6:40 PM
Share

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. કેસ ઘટતા જ પ્રવાસન સ્થળો પર ફરી ભીડ જોવા મળી રહી છે. લોકો લાંબા સમાયથી કોરોનાના ડરના કારણે ક્યાંક જવા આવવામાં ડરે છે ત્યારે હવે બહારની હવા માણી રહ્યા છે. આ જોતા ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બસના રૂટ વધાર્યા છે.

વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સ્પેશ્યલ બસ શરૂ કરવામાં આવી છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા. વડાપ્રધાનના વતન વડનગરથી શરૂ કરાયેલી આ બસનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ પણ આ બસની સવારી કરી છે. સાથે ઉંઝા ધારાસભ્ય અને ઉંઝા apmc ના ચેરમેન પણ કરી આ બસ સવારીમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે વડનગરથી વહેલી સવારે 4 વાગે અને રાત્રે 9 વાગે એમ બે બસો દોડશે.

જણાવી દઈએ કે એસટી નિગમે એક્સપ્રેસ બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ઘણા બસ રૂટ શરુ કરવાનું કહેવામાં આવ્યું છે. આ રૂટમાં વડાપ્રધાન મોદીના વતન વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી પાવાગઢ (માંચી), ગાંધીનગરથી દાંડી, અમદાવાદથી ધોળાવીરા એક્સપ્રેસ બસની જાહેરાત થઇ છે.

આ ઉપરાંત ભચાઉથી ધોળાવીરા, ધોળાવીરાથી રાપર, અંજારથી ધોળાવીરાથી ખરોડા, આ સાથે જ ભુજથી ધોળાવીરા થઈને ડુંગરાનીવાંઢના રૂટ પર લોકલ બસ દોડાવવામાં આવશે.

માહિતી અનુસાર PM ના વતન વડનગરથી સ્ટેસ્યુ ઓફ યુનિટી જતી આવતી બસ શરુ કરવામાં આવી છે. જેનું ભાડું 177 રૂપિયા હશે. અમદાવાદથી પાવગઢ (માંચી) જતી આવતી બસનું ભાડુ 124 રૂપિયા. આ ઉપરાંત દાંડી જવા માટે ગાંધીનગર શરુ થતી બસનું ભાડુ 182 રૂપિયા અને અમદાવાદથી ધોળાવીરા માટે 209 રૂપિયા ભાડું રહેશે. એસટી નિગમે એક્સપ્રેસ ઉપરાંત લોકલ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ઉતાર્યા ચૂંટણીના મેદાનમાં, જાણો શું છે તેમની સ્ટ્રેટજી

આ પણ વાંચો: Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">