AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની કરી અવગણના, જિલ્લા કલેકટરના આદેશથી તપાસ હાથ ધરાઈ

સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની પણ અવગણના કરી હતી. ત્યાં આજે જિલ્લા કલેકટરે ચોર્યાસીના ઉંબેર ગામના 184 તળાવોમાંથી 75 તળાવો પર ઝીંગા ઉછેરની પ્રવૃતિ બંધ કરાવી કરોડો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે.

સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની કરી અવગણના, જિલ્લા કલેકટરના આદેશથી તપાસ હાથ ધરાઈ
Shrimp growers in coastal villages of Dumas in Surat ignore High Court order, Investigation is carried out by the order of the District Collector
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 07, 2022 | 4:34 PM
Share

ગુજરાતના સુરત (Surat) જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, મજુરા તાલુકામાં આવેલા 10,000થી વધુ ગેરકાયદેસર ઝીંગાના તળાવોને લઈને નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં ફરિયાદ થતા કોરોનાકાળ પહેલા જિલ્લા કલેકટર (District Collector)ના આદેશથી ઓલપાડના મંદ્રોઈ ગામથી ઝીંગાના તળાવો તોડવાનું શરૂ હતું. ત્યારબાદ મજુરા અને ચોર્યાસી તાલુકા મામલતદારે પણ કાર્યવાહી શરૂ કરી હતી. કેટલાક ઝીંગા ઉછેરકો હાઈકોર્ટમાં જતા 3/2/21ના રોજ સ્ટે આપવામાં આવ્યો હતો. સ્ટેમાં કીધું હતું કે ગેરકાયદેસર ઝીંગાના તળાવોમાં પણ કોઈ પ્રવૃતિ કરવી નહીં અને જિલ્લા કલેકટર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવી નહીં. છતાં ચોર્યાસી તાલુકાના ઉંબેર ગામમાં આવેલ સરકારી જમીનના સર્વે નં.197માં 184 જેટલા ઝીંગાના ગેરકાયદેસર તળાવોમાં ફરીથી પાણી ભરીને ઝીંગા ઉછેરવાનું શરૂ કરતા જિલ્લા કલેકટર સુધી ફરિયાદો થઈ હતી.

આજે જિલ્લા કલેકટર આયુષ ઓકે કાર્યવાહી માટે આદેશ કરતા સીટી પ્રાંત ઓફિસર જી.વી મીયાણી, ચોર્યાસી મામલતદાર બી.પી. સકસેનાની ટીમ, 30 જેટલા સરકારી કર્મચારી, પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત 25 જેટલા પોલીસ કાફલા સાથે ઉંબેરની જમીનમાં પહોંચી ગયા હતા અને 184માંથી 75 જેટલા ઝીંગાના તળાવોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો એરેટર, મોટર, વાયરો, કેબલ જપ્ત કર્યા હતા. 25 જેટલા લેબર અને ઈલેકટ્રીશીયનની મદદથી વીજ જોડાણ પણ કાપી નાખ્યા હતા. સવારે સાડાઆઠ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કરોડોનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટરના આદેશથી આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ચોર્યાસી મામલતદાર અને તેમની ટીમ સાથે 3 ટેમ્પા,3 ટ્રક સરકારી ગાડીઓ સાથે ઉંબેર પહોંચી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી દેતા મામલતદાર અને તેમની ટીમ પણ ઝીંગાના તળાવોમાંથી એરેટર ઉંચકવા કે અન્ય મશીનરી જપ્ત કરવા માટે જાતે કામગીરીમાં જોડાઈ ગયા હતા.

કેટલાક ઝીંગા ઉછેરકોએ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે માથાકુટ કરી હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાથી સરળતાથી કામગીરી કરી શક્યા હતા. ડુમસ નજીકના આલીયા બેટ પર પણ વર્ષોથી ગેરકાયદેસર ઝીંગાના માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. આ બેટ પર જવુ મુશ્કેલ હોવાથી તંત્રની નજરથી દૂર છે. આથી આ બેટ પર પણ તપાસ થાય તેવી માંગ ઉઠી છે. કેમ કે ત્યાં બોટ વગર જઈ શકાય તેમ નથી. અગાઉ ડ્રોન દ્વારા થયેલા સર્વેમાં આખો બેટ ગેરકાયદેસર ઝીંગાના તળાવોથી ભરેલો દેખાયો હતો.

આ પણ વાંચો:

ભારતે જગત જમાદાર અમેરિકાને ના ગણકારતા આપી ધમકી, કહ્યુ-રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત

આ પણ વાંચો:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, જામનગરમાં દવાઓના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ભૂમિપૂજન કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">