મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકને પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 30,321 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સોમવારે બપોરે ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં છેલ્લા છ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો થયો છે. આ સપાટી આગામી બે દિવસમાં પાર થઈ જશે તેવો અંદાજ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નર્મદા ડેમમાં 1300 mcm પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. હાલ ડેમમાંથી 5013 ક્યુસેક્સ પાણી કેનાલ અને નદીમાં 595 ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યું છે. અગાઉ નર્મદા ડેમની મહત્તમ સપાટી 121.92 હતી. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ નર્મદા ડેમની ઊંચાઇને વધારીને 138.68 મીટર કરવામાં આવી હતી.
જોકે અગાઉની ડેમની ઊંચાઇથી ડેમની સપાટી એકદમ નજીક આવી ચૂકી છે. જોકે ડેમની ઊંચાઇ વધવાને કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ખુબ જ ઓછી છે.
[yop_poll id=”1″]