પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ

પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમ વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. પોલીસે લાશને જોઈને તપાસ શરુ કરી હતી. બીજી તરફ મૃતકની પત્નીએ તેના સસરાને પતિને અકસ્માત નડ્યો હોવાનું કહ્યુ હતુ. પ્રાંતિજ પોલીસને પ્રાથમિક રીતે જ મામલો શંકાસ્પદ જણાતા તપાસ દરમિયાન હત્યા હોવાનું લાગતા જ પત્નીની પૂછપરછ કરતા જ ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ
પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ
Follow Us:
| Updated on: Mar 17, 2024 | 10:11 AM

તલોદના વલીયમપુરા ગામની પરિણીતા અને દહેગામના ઝડપીયાના યુવકની વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમમાં અંધ એટલા બધા બન્યા હતા કે બંનેને માટે અલગ રહેવું અને વાતચીતોથી દૂર રહેવું પસંદ નહોતું. આ માટે પ્રેમિકાનો પતિ આડખીલી રુપ લાગતો હતો. જેને લઈ તેનો કાંટો નિકાળવા માટે બંનેએ આખરે પ્લાન ઘડી નિકાળ્યો હતો અને એ મુજબ પતિની હત્યા કરી દીધી.

પ્રાંતિજના લીમલા ડેમ વિસ્તારમાંથી પતિ કરણસિંહ ઉર્ફે કિરણસિંહ કાળુસિંહ પરમારની લાશ મળી આવી હતી. જ્યાં નજીકમાંથી તેમનું બાઇક પણ મળી આવ્યું હતુ. જેને લઈ મામલો અકસ્માતનો હોવાનું ખપાવવા માટે પ્રયાસ કરતી કહાની પત્ની આશા પરમારે રજૂ કરી હતી. પરંતુ પોલીસે સ્થળ અને લાશને જોઇ મામલો અકસ્માત નહીં હત્યાનો હોવાની આશંકા રાખી તપાસ શરુ કરી હતી.

અકસ્માતમાં ખપાવવા પ્રયાસ

આ દરમિયાન પોલીસે તપાસ શરુ કરતા લાશ પર કેટલાક ઇજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે જ બાઇકની સ્થિતિ અને સ્થળની સ્થિતિ પણ શંકા પ્રેરી રહી હતી. બીજી તરફ મૃતક કિરણસિંહ પરમારની પત્ની આશા પરમારે તેના સસરાને અકસ્માત થયો હોવાની જાણકારી આપી હતી. જેને લઈ મૃતકના પિતા અકસ્માતની રજૂઆત પોલીસને કરી હતી. પરંતુ પોલીસને મામલો અકસ્માતનો નહીં હોવાની શંકા જણાતા તપાસ ઉંડાણપૂર્વક હાથ ધરી હતી.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

જેમાં ઇજાના નિશાનને લઈ પૂછપરછ આશા પરમારની શરુ કરતા આખરે તેના જવાબો શંકાને વધારે મજબૂત બનાવતા પોલીસે એક બાદ એક કડીઓ હત્યાને લઈ એકઠી કરી લીધી હતી. પોસ્ટ મોર્ટમ માટે લાશ મોકલતા ત્યાં પણ પ્રાથમિક રીતે અકસ્માત નહીં પરંતુ ગળે ટૂંપો હોવાની વાત સામે આવી રહી હતી. જેને લઈ આખરે આશાબેને પડી ભાંગીને આખીય હકીકત કબૂલી લીધી હતી. આમ પીઆઇ રશ્મીન દેસાઇએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનારા પ્રેમી યુગલને હત્યા કેસના ગુનામાં ઝડપી લીધા છે.

પ્રેમી અને પ્રેમિકાને ધરપકડ

અકસ્માતને હત્યામાં ખપાવનારા પ્રેમી અને પ્રેમિકાની પ્રાંતિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને એ પોલીસ સમક્ષ આખોય મામલો કબૂલ કર્યો હતો. બંનેએ કાવતરુ ઘડીને કિરણસિંહ પરમારને ગત 14, માર્ચે લીમલા ડેમ ખાતે બોલાવ્યો હતો. જ્યાં બંનેએ લોખંડના સળીયા વડે હુમલો કર્યો હતો.

તેઓએ લોખંડના સળીયાથી માર મારીને ગળે ટૂંપો આપ્યો હોવાનુ કબૂલ કર્યુ હતું. આમ હત્યા કરીને લાશને પ્રાંતિજ નજીકના લીમલા ડેમ વિસ્તારમાં નાંખી દીધી હતી. ત્યાર બાદ કિરણસિંહ બાલીસણા જવા ગયેલા હોઇ આ દરમિયાન અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સસરાને જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો

ઝડપાયેલ આરોપી

  1. જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ ડાભી, રહે. ઝડકીયા, તા. દહેગામ, જિ. ગાંધીનગર
  2. આશા કરણસિંહ ઉર્ફે કિરણસિંહ પરમાર, રહે. ખાડવાસ, વલીયમપુરા, તા. તલોદ, જિ. સાબરકાંઠા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
g clip-path="url(#clip0_868_265)">