Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા

Dharoi Dam Water Level: ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોરે ચાર દરવાજા ખોલાયા હતા.

Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા
Dharoi Dam Water Level Update
Follow Us:
| Updated on: Sep 18, 2023 | 8:32 PM

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોરે ચાર દરવાજા ખોલાયા હતા.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video

સાબરમતી નદીમાં ફરી વાર પાણી છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમ હાલમાં 620 ફૂટની સપાટીએ પહોંચ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મોટી રાહત રુપ સમાચાર ધરોઈ તરફથી આવ્યા છે. હવે ડેમનુ જળસ્તર જે સપાટીએ પહોંચ્યુ છે, તેનાથી મહંદઅંશે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યામાં રાહત પહોંચશે. ધરોઈ ડેમ હવે મહત્તમ સપાટીથી થોડોક જ દૂર રહ્યો છે.

માત્ર 2 ફૂટ દૂર મહત્તમ સપાટી

હાલમાં ધરોઈ ડેમમાં જે રીતે આવક નોંધાઈ રહી છે, એ જોતા હવે ધરોઈ ડેમ સંપૂર્ણ 100 ટકા છલકાઈ જવાની આશા બંધાઈ છે. જોકે હાલમાં જે રીતે જળસપાટી પહોંચી છે, એ મોટી રાહતના સમાચારરુપ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપરાંત અનેક શહેરો અને ગામડાઓને પીવાના પાણીની રાહત સર્જાઈ ચૂકી છે. ધરોઈ ડેમની હાલની સપાટી સોમવારે સાંજે 7 કલાક મુજબ 620 ફુટ નોંધાઈ છે.

Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
Marriage Guide : લગ્ન માટે માની જશે સાસુ-સસરા, જમાઈ એ કરવા પડશે આ 5 કામ

આમ હવે ધરોઈ ડેમની મહત્તમ સપાટી 622 ફુટ હોઈ માત્ર 2 ફુટ દુર સંપૂર્ણ છલકાઈ જવાથી વર્તમાન જળસપાટી છે. જોકે હાલમાં આવક સામે એટલી જ મહંદઅંશે જાવક સાબરમતી નદીમાં પાણીની છોડવામાં આી રહી હોઈ જળસપાટીને જાળવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહી બાદ જળસપાટીમાં વધારો કરવાનો નિર્ણય કરવાની સંભાવના છે.

બપોરથી ફરી આવકમાં વધારો

રવિવાર બાદ સોમવારે પણ સાબરમતી નદીમાં પાણીની આવકનો વધારો નોંધાયો હતો. સવારે 9 કલાકે પાણીની આવક 13,105 ક્યુસેક થઈ હતી. આમ આવક વધવા સાથે જ જળસપાટીમાં આંશિક રીતે વધારો થવા લાગ્યો હતો. જોકે ફરીથી 10 કલાકે આવક વધતા આખરે 12 કલાકે વધુ બે દરવાજાને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બપોરે 12 કલાકે 4 દરવાજા ખોલીને નદીમાં 15,711 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. જેની સામે દિવસે સતત 18,245 ક્યુસેક આવક નોંધાઈ હતી. 0.84 મીટર સુધી ચારેય દરવાજા ખોલવામાં આવ્યા હતા.ઉપરવાસમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. જેને લઈ જે નદીઓ સાબરમતીમાં ભળતા ધરોઈની આવકમાં વધારો થયો હતો. હરણાવ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો, ધરોઈની આવકમાં વધારો નોંધાઈ શકે છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">