અમુલ સામે હવે તેની જ સાબર છાશ હરીફાઇ કરશે, અમુલ પાર્લર પર માત્ર પાંચ રુપિયામાં છાશનુ પાઉચ મળશે.

સાબર ડેરીએ હવે મોંઘવારીમાં લોકોને પરવ[S તેવી છાશ ગુરુવારથી બજારમાં મુકી છે, અત્યાર સુધી મળતી અમુલની છાશ સામે અડધાથી પણ ઓછી કિંમતે. હવે સાબર છાશ લોકોને અમુલ પાર્લર પર મળી રહશે. મોંઘવારીમાં છાશ લોકોને સરળતા અને સસ્તામાં મળે એ માટે પ્રયાસ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કર્યો છે.   સાબરડેરી દ્રારા અમુલ બ્રાન્ડ હેઠળ દુધ […]

અમુલ સામે હવે તેની જ સાબર છાશ હરીફાઇ કરશે, અમુલ પાર્લર પર માત્ર પાંચ રુપિયામાં છાશનુ પાઉચ મળશે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:53 PM
સાબર ડેરીએ હવે મોંઘવારીમાં લોકોને પરવ[S તેવી છાશ ગુરુવારથી બજારમાં મુકી છે, અત્યાર સુધી મળતી અમુલની છાશ સામે અડધાથી પણ ઓછી કિંમતે. હવે સાબર છાશ લોકોને અમુલ પાર્લર પર મળી રહશે. મોંઘવારીમાં છાશ લોકોને સરળતા અને સસ્તામાં મળે એ માટે પ્રયાસ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કર્યો છે.
 
સાબરડેરી દ્રારા અમુલ બ્રાન્ડ હેઠળ દુધ અને તેની બનાવટોનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રાજ્યની ત્રણ સૌથી મોટા દુધ ઉત્પાદક ડેરી તરીકે સાબરડેરીની ગણના કરવામાં આવે છે. પરંતુ હવે સાબરડેરી પ્રથમ વાર અમુલ સાથે સાબર નામની પ્રોડક્ટ પણ બજારમાં મુકી છે. સાબર ડેરીએ હવે સાબર નામની છાશની પ્રોડક્ટ ગુરુવારથી બજારમાં મુકી છે. જે અમુલના પાર્લર પર હાલ ઉપલબ્ધ રહેશે. સાબર છાશની ખાસિયત પણ એ છે કે છાશનુ આ પાઉચ ખુબ જ સસ્તુ અને વાજબી, અમુલ છાશ કરતા પણ સાબર છાશ અડધાથી પણ ઓછી કિંમતની મળી રહેશે. જેને લઇને હવે ગ્રાહકોમાં પણ એક પ્રકારે હવે આકર્ષણ વધ્યુ છે.
અમુલ છાશ હાલમાં ૨૪ રુપીયા પ્રતિ લીટરે ઉપલબ્ધ છે જેની સામે માત્ર દશ રુપીયામાં જ આઠસો ગ્રામ સાબર છાશ નુ પાઉચ અમુલ પાર્લર પર મળી રહેશે. તો ૪૦૦ ગ્રામનુ સાબર છાશનુ પાઉચ માત્ર પાંચ રુપિયાની કિંમતે મળી રહેશે આમ ૧૨ રુપીયાના હાલના અમુલના પાઉચ કરતા ખુબ જ કિફાયતી હોવાને લઇને સાબરડેરીને આ છાશ ની માંગ ખુબ વધુ રહેશે તેમ આશા સેવી રહ્યુ છે. જો કે હાલની સિઝનની અનુરુપ ધ્યાને રાખી સવારમાં પહેલી બેચમાં ૩૫૦૦ લીટર છાશ ને વેચાણમાં મુકતા જ તે ઝડપ થી વેચાયા હોવાનો સાબરડેરીએ દાવો કર્યો હતો. આગામી દિવસોમાં ૫૦,૦૦૦ લીટર છાશનુ વેચાણ થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. સાબરડેરીનુ માનવુ છે કે હાલની મોંઘવારીમાં મધ્યમ વર્ગને પરવળે તેવી પ્રોડક્ટ બજારમાં મુકવી આવશ્યક છે. જોકે છાશની સાથે હવે દુધ માટે પણ કિફાયતી ભાવ થી ગ્રાહકોને વેચાણ કરવામાં આવે તો પણ લોકોને હજુ વધુ રાહત સર્જાઇ શકે છે.
 

સાબરડેરીના મેનેજીંગ ડીરેકટર ડો. બીએમ પટેલે વાત કરતા કહ્યુ હતુ કે,  હાલની મોંઘવારીને ધ્યાને રાખીને અમે ગ્રાહકો માટે દુધની બનાવટો ને વ્યાજબી રાખવાને લઇને છાશની સસ્તી પ્રોડક્ટ શરુ કરી છે. આ છાશ ની નવી શરુ કરેલ પ્રોડક્ટ મધ્યમ અને ગરીબ વર્ગને પરવડે તે માટે થઇને માત્ર પાંચ રુપિયાનુ પાઉચ બજારમાં મુકેલ છે, જે દશ રુપિયામાં ૮૦૦ ગ્રામ છાશ મળી રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">