કોરોના કાળમાં લોકોના આરોગ્ય પર મોટી અસર જોવા મળી છે. એક્સરસાઈઝની આદત છુટતા લોકોના શરીર પર અસર વર્તાવા લાગી છે. ત્યારે તેવામાં તમે સાઇકલિંગનું ઓપશન પસંદ કરી શકો છો. કારણ કે સાઇકલ ચલાવવાથી તમે ફક્ત શારીરિક રીતે નહીં મેન્ટલી પણ ફિટ રહી શકો છો. જો તમે ઘણા વર્ષોથી સાઇકલ નથી ચલાવી તો પણ તમારે સાઇકલ ચલાવવી જોઈએ. જો તમને એમ લાગતું હોય કે લાંબા સમય પછી સાઇકલ ચલાવવું કેટલું યોગ્ય અને સુરક્ષિત કહેવાય તો એ આજે અમે તમને જણાવીશું.
સાઇકલ ચલાવવામાં તમને જેટલી મજા આવશે એ તમને એટલું જ ફિટ રાખશે. જયારે તમે નાના હશો ત્યારે શોખ માટે તમે સાઇકલ ચલાવી હશે. પણ આજની બીઝી લાઈફમાં પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ થઇ ગયું છે. સાઈકલિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તે તમને શારીરિક રીતે જ નહિ માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. જે લોકોને ભુલવાની એટલે કે અલ્ઝાઇમરની બીમારી હોય તે સાઇકલ ચલાવવાથી સારી થઇ શકે છે.
સાઇકલ ચલાવતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત :
1). સાઇકલ ચલાવવા માટે તમને વધારે સામાનની જરૂર નથી. પણ હેલ્મેટ બહુ જરૂરી છે. ઘણા લોકોને એવું હશે કે બાઈક ચલાવતી વખતે જ હેલ્મેટ પહેરવું જોઈએ પણ એવું નથી.
2). જો તમે લાંબા સમય પછી સાઇકલ ચલાવો છો તો ભલે તમારામાં સ્ટેમિના અને એનર્જી હોય તો પણ સાઇકલ ધીમે ધીમે ચલાવો.
3). સાઇકલ ચલાવતી વખતે બહુ ઢીલા કે બહુ ટાઈટ કપડાં ન પહેરો.
આ પણ વાંચોઃ ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો