AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો કોરોના રસીકરણને લઈ રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ કરતા વધારે રસી અપાઈ, કુલ રસી લેનારાનો આંકડો 4 કરોડ 62 લાખને પાર

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે.

ગુજરાતનો કોરોના રસીકરણને લઈ રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ કરતા વધારે રસી અપાઈ, કુલ રસી લેનારાનો આંકડો 4 કરોડ 62 લાખને પાર
Record break corona vaccination in Gujarat on Tuesday more than eight lakh doses were given (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:38 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે વધુ બે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો

જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. જેમાં રસીકરણ ક્ષેત્રે અન્ય એક સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે. રાજયમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ સર્જાયો છે.

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬ હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.

રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને સફળ બનાવ્યું છે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

આ  પણ વાંચો : Ahmedabad કોર્પોરેશન એક કુતરાના ખસીકરણ પાછળ કરશે આટલો ખર્ચ

g clip-path="url(#clip0_868_265)">