રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કોરોના સામે લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે. અભય ભારદ્વાજ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લવાયો હતો. રાજકોટના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.. સીએમ રૂપાણી સહિતના નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ કાલાવડ રોડ પરના મોટા મૌવા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી.. અંતિમક્રિયામાં ફક્ત પરિવારજનો જ હાજર રહ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો