રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વલસાડ જીલ્લાનું વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. જીલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનથી લઈને વિવિધ પર્યટન સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જીલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર દિવાળીના તેહવારો બાદ લોકોનો જમાવડો થયો હતો. કોરોનાની ચેઈનને તોડવા માટે પગલા લેવાજ પડે છે અને એટલે જ આજે ટીમે ચેકિંગ હાથ ધાર્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો