Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 33 કરોડની ઉચાપતનો જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી કોણ છે? સોખડા સંપ્રદાયમાં શુ છે ભૂમિકા, જાણો

આત્મીય સંસ્થામાં 33 કરોડ રુપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે અને જેની તપાસ ચાલી રહી છે, જેને લઈ ત્યાગવલ્લભ સ્વામીના નામને લઈ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી સંકુલના મુખ્ય સંચાલક રહ્યા છે.

Rajkot: 33 કરોડની ઉચાપતનો જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી કોણ છે? સોખડા સંપ્રદાયમાં શુ છે ભૂમિકા, જાણો
જાણો ત્યાગવલ્લભ સ્વામી વિશે
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:44 AM

સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી ખૂબ ચર્ચામાં છવાયા છે. ચર્ચામાં રહેવાનુ કારણ તેમની સામેના આક્ષેપ છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય (Sokhda Swaminarayan) ના સ્વામી ત્યાગવલ્લભ સ્વામી (Tyagavallabh Swami) સામે 33 કરોડ રુપિયાની ઉચાપતનો આક્ષેપ છે. આ સંદર્ભની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેને લઈ હવે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. બીજી તરફ આગોતરા જામીન પણ ફગાવી દેવામાં આવ્યા છે. આત્મીય સંસ્થામાંથી આ રકમની ઉચાપત થઈ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ આ અંગે ફરિયાદ દાખલ થઈ હતી.

ઉચાપતમાં મુખ્ય ભુમિકા આત્મીય સંકુલના મુખ્ય સંચાલક ત્યાગવલ્લભ સ્વામી પર આક્ષેપ લાગ્યો છે. ભુતિયા બેંક ખાતા દ્વારા થયેલી ઉચાપાત કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને તેમના સાથી સમીર વૈદ્ય દ્રારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જો કે આ જામીન અરજી સેશન્સ કોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી હતી. ત્યાગવલ્લભ સ્વામીની સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભુમિકા ક્યા પ્રકારની છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં બતાવીશુ તેમની ભૂમિકા અને તેમના અંગેની કેટલીક જાણકારી.

ત્યાગવલ્લભ સ્વામી કોણ હતા?

ત્યાગવલ્લભ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિનુભાઇ ગોરધનભાઇ પટેલ હતું,. તેઓનો જન્મ ભરુચ પાસેના અવિધા ગામે 23 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. ત્યાગવલ્લભ સ્વામી વિનુભગત તરીકે ઓળખાતા હતા. ત્યાગવલ્લભ સ્વામીના પરિવારમાં ચાર ભાઇઓ છે. જેમાંથી બે ભાઇ હાલમાં અમેરિકામાં સ્થાયી છે. ત્યાગવલ્લભ સ્વામીને બે બહેનો છે. ત્યાગવલ્લભ સ્વામીના માતા પિતા વતન અવિધા ગામમાં ખેતી કામ કરતા હતા. વલ્લભ વિદ્યાનગરમાં ત્યાગવલ્લભ સ્વામીએ BSc સુધીનો અભ્યાસ કર્યો છે.

EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ
ઘરે જ બનાવો કેમિકલ ફ્રી કલર, સલૂનમાં ગયા વગર મેળવો સુંદર વાળ

1974 માં દિક્ષા લીધી

વિનુભાઈ પટેલે વર્ષ 1974માં દિક્ષા લીધી હતી. તેઓને હરિપ્રસાદ સ્વામીએ દિક્ષા આપી હતી અને ત્યાગવલ્લભ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા. ત્યાગવલ્ભ સ્વામીએ ડિવાઈન સોસાયટીમાં અલગ અલગ આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તીઓ સાથે જોડાયો હતો. તેમનામાં શૈક્ષણિક રુચિ અને આ દિશામાં સેવાકીય પ્રવૃત્તિઓને લઈ 1985-86માં રાજકોટમાં તેઓએને જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજકોટની શૈક્ષણિક પરિષદ સ્વામી હરિપ્રસાદ મહારાજને સમર્પિત થયા બાદ તેના વિકાસની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોપાઈ હતી. જ્યાં ત્યાગવલ્લભ સ્વામીએ સંસ્થાના વિકાસની શરુઆત કરી હતી. રાજકોટના કાલાવાડ રોડ પર કોલેજ શરુ થઈ હતી અને જેમાં સાયન્સ કોલેજના અભ્યાસક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આત્મીય કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો અફાયો હતો. જે સંકુલને ત્યાગવલ્લભ સ્વામી વડિલ સંત તરીકે અહીં સ્વંતંત્ર હવાલો સંભાળતા હતા.

પ્રેમસ્વરૂપ સ્વામી-પ્રબોદ સ્વામી જુથ વિવાદમાં ભુમિકા

હરિપ્રસાસ સ્વામીના નિધન બાદ હરિમંદિરની ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યાગવલ્લભ સ્વામીએ સોખડાના હરિમંદિરની ગાદીના વિવાદમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડિલ સંત હોવાને લઈ તેઓ આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓએ મંદિરનો પક્ષ રાખ્યો હતો અને ગાદીપતિ તરીકે પ્રેમસ્વરુ સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. વિવાદ દરમિયાન પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ત્યાગવલ્લભ સ્વામીની ભૂમિકા સામે સવાલો કરવામાં આવ્યા હતા.

જોકે હવે 33 કરોડ રુપિયાના મોટી રકમની ઉચાપતને લઈ મામલાની તપાસ શરુ થઈ છે. કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. આવી સ્થિતીમાં હવે સ્વામીની પોલીસ અટકાયત કરશે કે ઉપલી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજ કરાશે એ બાબત પર સૌની નજર ઠરી છે. મામલામાં આગળ શુ થશે તેની પર પણ સૌની નજર છે.

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
g clip-path="url(#clip0_868_265)">