AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 33 કરોડની ઉચાપતનો જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી કોણ છે? સોખડા સંપ્રદાયમાં શુ છે ભૂમિકા, જાણો

આત્મીય સંસ્થામાં 33 કરોડ રુપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે અને જેની તપાસ ચાલી રહી છે, જેને લઈ ત્યાગવલ્લભ સ્વામીના નામને લઈ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી સંકુલના મુખ્ય સંચાલક રહ્યા છે.

Rajkot: 33 કરોડની ઉચાપતનો જેમની પર આક્ષેપ છે એ ત્યાગવલ્લભ સ્વામી કોણ છે? સોખડા સંપ્રદાયમાં શુ છે ભૂમિકા, જાણો
જાણો ત્યાગવલ્લભ સ્વામી વિશે
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:44 AM
Share

સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી ખૂબ ચર્ચામાં છવાયા છે. ચર્ચામાં રહેવાનુ કારણ તેમની સામેના આક્ષેપ છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય (Sokhda Swaminarayan) ના સ્વામી ત્યાગવલ્લભ સ્વામી (Tyagavallabh Swami) સામે 33 કરોડ રુપિયાની ઉચાપતનો આક્ષેપ છે. આ સંદર્ભની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેને લઈ હવે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. બીજી તરફ આગોતરા જામીન પણ ફગાવી દેવામાં આવ્યા છે. આત્મીય સંસ્થામાંથી આ રકમની ઉચાપત થઈ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ આ અંગે ફરિયાદ દાખલ થઈ હતી.

ઉચાપતમાં મુખ્ય ભુમિકા આત્મીય સંકુલના મુખ્ય સંચાલક ત્યાગવલ્લભ સ્વામી પર આક્ષેપ લાગ્યો છે. ભુતિયા બેંક ખાતા દ્વારા થયેલી ઉચાપાત કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને તેમના સાથી સમીર વૈદ્ય દ્રારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જો કે આ જામીન અરજી સેશન્સ કોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી હતી. ત્યાગવલ્લભ સ્વામીની સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભુમિકા ક્યા પ્રકારની છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં બતાવીશુ તેમની ભૂમિકા અને તેમના અંગેની કેટલીક જાણકારી.

ત્યાગવલ્લભ સ્વામી કોણ હતા?

ત્યાગવલ્લભ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિનુભાઇ ગોરધનભાઇ પટેલ હતું,. તેઓનો જન્મ ભરુચ પાસેના અવિધા ગામે 23 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. ત્યાગવલ્લભ સ્વામી વિનુભગત તરીકે ઓળખાતા હતા. ત્યાગવલ્લભ સ્વામીના પરિવારમાં ચાર ભાઇઓ છે. જેમાંથી બે ભાઇ હાલમાં અમેરિકામાં સ્થાયી છે. ત્યાગવલ્લભ સ્વામીને બે બહેનો છે. ત્યાગવલ્લભ સ્વામીના માતા પિતા વતન અવિધા ગામમાં ખેતી કામ કરતા હતા. વલ્લભ વિદ્યાનગરમાં ત્યાગવલ્લભ સ્વામીએ BSc સુધીનો અભ્યાસ કર્યો છે.

1974 માં દિક્ષા લીધી

વિનુભાઈ પટેલે વર્ષ 1974માં દિક્ષા લીધી હતી. તેઓને હરિપ્રસાદ સ્વામીએ દિક્ષા આપી હતી અને ત્યાગવલ્લભ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા. ત્યાગવલ્ભ સ્વામીએ ડિવાઈન સોસાયટીમાં અલગ અલગ આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તીઓ સાથે જોડાયો હતો. તેમનામાં શૈક્ષણિક રુચિ અને આ દિશામાં સેવાકીય પ્રવૃત્તિઓને લઈ 1985-86માં રાજકોટમાં તેઓએને જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજકોટની શૈક્ષણિક પરિષદ સ્વામી હરિપ્રસાદ મહારાજને સમર્પિત થયા બાદ તેના વિકાસની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોપાઈ હતી. જ્યાં ત્યાગવલ્લભ સ્વામીએ સંસ્થાના વિકાસની શરુઆત કરી હતી. રાજકોટના કાલાવાડ રોડ પર કોલેજ શરુ થઈ હતી અને જેમાં સાયન્સ કોલેજના અભ્યાસક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આત્મીય કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો અફાયો હતો. જે સંકુલને ત્યાગવલ્લભ સ્વામી વડિલ સંત તરીકે અહીં સ્વંતંત્ર હવાલો સંભાળતા હતા.

પ્રેમસ્વરૂપ સ્વામી-પ્રબોદ સ્વામી જુથ વિવાદમાં ભુમિકા

હરિપ્રસાસ સ્વામીના નિધન બાદ હરિમંદિરની ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યાગવલ્લભ સ્વામીએ સોખડાના હરિમંદિરની ગાદીના વિવાદમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડિલ સંત હોવાને લઈ તેઓ આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓએ મંદિરનો પક્ષ રાખ્યો હતો અને ગાદીપતિ તરીકે પ્રેમસ્વરુ સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. વિવાદ દરમિયાન પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ત્યાગવલ્લભ સ્વામીની ભૂમિકા સામે સવાલો કરવામાં આવ્યા હતા.

જોકે હવે 33 કરોડ રુપિયાના મોટી રકમની ઉચાપતને લઈ મામલાની તપાસ શરુ થઈ છે. કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. આવી સ્થિતીમાં હવે સ્વામીની પોલીસ અટકાયત કરશે કે ઉપલી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજ કરાશે એ બાબત પર સૌની નજર ઠરી છે. મામલામાં આગળ શુ થશે તેની પર પણ સૌની નજર છે.

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">