ગુજરાતના કારગીલ યુધ્ધમાં શહીદ થયેલાં જવાનોના કિસ્સા વાંચીને તમે પણ કહેશો How Is The Josh?
રાજકોટ ખાતે આવેલાં અરવિંદ મણિયાર હોલમાં 12 ગુજરાતી શહીદોની ગાથા વર્ણન કરતાં પુસ્તક ‘કારગીલ યુધ્ધ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદના પરિવાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતની પ્રજા માત્ર વેપારી નહિ પણ માતૃભૂમિની કાજે દુશ્મનોને પછાડી તેટલી સક્ષમ પણ છે અને તેનું વર્ણન છે આ પુસ્તક ‘કારગીલ યુધ્ધ’માં કરવામાં આવ્યું છે. રાજકોટના અરવિંદ મણિયાર […]
રાજકોટ ખાતે આવેલાં અરવિંદ મણિયાર હોલમાં 12 ગુજરાતી શહીદોની ગાથા વર્ણન કરતાં પુસ્તક ‘કારગીલ યુધ્ધ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદના પરિવાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતની પ્રજા માત્ર વેપારી નહિ પણ માતૃભૂમિની કાજે દુશ્મનોને પછાડી તેટલી સક્ષમ પણ છે અને તેનું વર્ણન છે આ પુસ્તક ‘કારગીલ યુધ્ધ’માં કરવામાં આવ્યું છે. રાજકોટના અરવિંદ મણિયાર હોલમાં આ પુસ્તકનું વિમોચન પરિવારની હાજરીમાં જ કરવામાં આવ્યુ હતુ. કારગીલ યુધ્ધ નામના આ પુસ્તકમાં કારગીલના યુધ્ધમાં આ શહીદ વીરોએ દુશ્મનોને કઇ રીતે ધૂળ ચાટતા કરી દીધા, યુધ્ધ સમયે કેવી સ્થિતિ હતી, કઇ પરિસ્થિતિમાં ભારતે વિજય કૂચ કરી તેનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. મનન ભટ્ટના કહેવા પ્રમાણે આ પુસ્તક યુવાનો માટે દીવાદાંડી સમાન સાબિત થશે.
આ પુસ્તકમાં કેટલીક તો એવી પણ બાબતો છે જે શહીદોના પરિવાર પણ નથી જાણતા,આ પુસ્તકમાં 12 શહિદ જવાનોની વીરતા અને સેનાના કૌશલ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
[yop_poll id=1287]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]