Rajkot: જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન

ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

Rajkot:  જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન
Nyari Dam (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:49 PM

રાજકોટ (Rajkot) માં ઉનાળા (Summer) ની શરૂઆતમાં જ પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા હતી જો કે રાજ્ય સરકાર (State Government) દ્વારા નર્મદા (Narmada) ના નીરની ફાળવણી કરતા રાજકોટનું જળ સંકટ (Water crisis) હળવું થતું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજી 1 ડેમમાં નર્મદાના નીરની ફાળવણી કર્યા બાદ હવે ન્યારી ડેમમાં પાણીની ઠાવવાની શરૂઆત થઇ છે.ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

ન્યારી-1 ડેમમાં નર્મદાની પાણીની આવક શરૂ થયા પહેલા એટલે કે તા.26-03-2022ના રોજ ડેમની સપાટી 18 ફૂટની હતી અને ડેમમાં 650 MCFT જળ જથ્થો ઉપલબ્ધ હતો. જે મે માસના અંત સુધી ચાલે તેમ હતો. ગઈકાલથી ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ છે અને વધુ કુલ 200 MCFT જેટલું પાણી મેળવશું. આમ, કુલ 850 MCFT પાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10 થી 15 MCFT પાણી ઠલવાશે.

રાજ્ય સરકારનો મનપાએ માન્યો આભાર

રાજ્ય સરકાર દ્રારા સૌની યોજના થકી નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવ ,ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.મનપાના હોદ્દેદારોએ કહ્યું હતું કે ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની કોઇ જ સમસ્યા રહેવાની નથી અને નિયમીતપણે 20 મિનીટ પાણી વિતરણ શહેરીજનોને થતું રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અગાઉ આજી 1 ડેમમાં પાણી ઠલવાયું હતું.

ન્યારી 1 ડેમ પહેલા આજી 1 ડેમમાં પણ સૌની યોજના થકી પાણી ઠાલવવામાં આવ્યું હતું.આજી 1 ડેમમાં રાજ્ય સરકાર દ્રારા તબક્કાવાર 750 એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આધારે રાજકોટવાસીઓને ઓગસ્ટ મહિના સુધી પાણીની કોઇ જ સમસ્યા નહિ રહે.મહત્વનું છે કે રાજકોટમાં મર્યાદિત પાણીની સ્રોત હોવાને કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે આગોતરૂ આયોજન કરવું પડે છે જેને લઇને રાજ્ય સરકાર પાસે 1050 એમસીએફટી પાણીની માંગ મુકવામાં આવી હતી જેમાંથી રાજ્ય સરકારે પાણી આપવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">