AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન

ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

Rajkot:  જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન
Nyari Dam (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:49 PM
Share

રાજકોટ (Rajkot) માં ઉનાળા (Summer) ની શરૂઆતમાં જ પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા હતી જો કે રાજ્ય સરકાર (State Government) દ્વારા નર્મદા (Narmada) ના નીરની ફાળવણી કરતા રાજકોટનું જળ સંકટ (Water crisis) હળવું થતું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજી 1 ડેમમાં નર્મદાના નીરની ફાળવણી કર્યા બાદ હવે ન્યારી ડેમમાં પાણીની ઠાવવાની શરૂઆત થઇ છે.ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

ન્યારી-1 ડેમમાં નર્મદાની પાણીની આવક શરૂ થયા પહેલા એટલે કે તા.26-03-2022ના રોજ ડેમની સપાટી 18 ફૂટની હતી અને ડેમમાં 650 MCFT જળ જથ્થો ઉપલબ્ધ હતો. જે મે માસના અંત સુધી ચાલે તેમ હતો. ગઈકાલથી ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ છે અને વધુ કુલ 200 MCFT જેટલું પાણી મેળવશું. આમ, કુલ 850 MCFT પાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10 થી 15 MCFT પાણી ઠલવાશે.

રાજ્ય સરકારનો મનપાએ માન્યો આભાર

રાજ્ય સરકાર દ્રારા સૌની યોજના થકી નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવ ,ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.મનપાના હોદ્દેદારોએ કહ્યું હતું કે ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની કોઇ જ સમસ્યા રહેવાની નથી અને નિયમીતપણે 20 મિનીટ પાણી વિતરણ શહેરીજનોને થતું રહેશે.

અગાઉ આજી 1 ડેમમાં પાણી ઠલવાયું હતું.

ન્યારી 1 ડેમ પહેલા આજી 1 ડેમમાં પણ સૌની યોજના થકી પાણી ઠાલવવામાં આવ્યું હતું.આજી 1 ડેમમાં રાજ્ય સરકાર દ્રારા તબક્કાવાર 750 એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આધારે રાજકોટવાસીઓને ઓગસ્ટ મહિના સુધી પાણીની કોઇ જ સમસ્યા નહિ રહે.મહત્વનું છે કે રાજકોટમાં મર્યાદિત પાણીની સ્રોત હોવાને કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે આગોતરૂ આયોજન કરવું પડે છે જેને લઇને રાજ્ય સરકાર પાસે 1050 એમસીએફટી પાણીની માંગ મુકવામાં આવી હતી જેમાંથી રાજ્ય સરકારે પાણી આપવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">