Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઇઝનીગ થયાની જાણ થતા જ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ બીમાર લોકોની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 120 જેટલા લોકોને જમણવાર બાદ ફુડ પોઇઝનિંગની અસર થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 3:52 PM

સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના ચોટીલાના પીપરાળી ગામે સીમંતના એક પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારોહ બાદ લોકોને ખોરાકી ઝેરની (Food poisoning) અસર થઇ છે. જમણવાર બાદ અચાનક જ લોકોને પેટમાં દુ:ખાવો અને ઝાડા-ઉલ્ટીની અસર શરુ થઇ ગઇ હતી. 100થી પણ વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ બીમાર પડેલા આ લોકોને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે તમામની સારવાર (Treatment) શરુ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પીપરાળી ગામમાં ભાવાભાઇ સામતભાઈના પુત્ર વિજયના પત્નીનો સીમંતનો પ્રસંગ હતો. જેમાં મોટી સંખ્યામાં સંગા-સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે બપોરના જમણવાર બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટીની અસર શરૂ થઇ હતી. જોત જોતામાં 100થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર દેખાવા લાગી હતી. મોટી સંખ્યામાં લોકોને ખોરાકી ઝેરની અસર પહોચતા ગામમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લોકોને તબીયત વધુ બગડતા 108ને જાણ કરતા દોડી ગઇ હતી અને જરૂરતમંદોને રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઇઝનીગ થયાની જાણ થતા જ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ બીમાર લોકોની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 120 જેટલા લોકોને જમણવાર બાદ ફુડ પોઇઝનિંગની અસર થઇ છે. જે તમામને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો-

આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

આ પણ વાંચો-

અમદાવાદના નાગરિકોને ઝડપથી મળશે મેટ્રો રેલની સુવિધા, પ્રથમ તબક્કાનું 82 ટકા કામ પૂર્ણ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">