AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : ફરાળી પેટીશના નામે થઇ રહ્યા છે લોકોની આસ્થા સાથે ચેડા,આ લોટનો થતો હતો ઉપયોગ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્રારા શહેરના 10 જેટલા ફરાળી પેટીશના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી

RAJKOT : ફરાળી પેટીશના નામે થઇ રહ્યા છે લોકોની આસ્થા સાથે ચેડા,આ લોટનો થતો હતો ઉપયોગ
Rajkot : the faith of the people is being tarnished in the name of fast
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 24, 2021 | 6:26 PM
Share

RAJKOT :શ્રાવણ માસમાં લોકો પોતાની ધાર્મિક આસ્થાને લઇને ઉપવાસ રહેતા હોય છે અને તેમાં બજારમાં તૈયાર મળતી ફરાળી પેટીશ આરોગતા હોય છે પરંતુ આપ આ પેટીશ ખાતા પહેલા ચેતી જજો.ક્યાંક આ પેટીશ બિન-ફરાળી તો નથી ને ?

આ સવાલ એટલા માટે થાય કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્રારા શહેરના 10 જેટલા ફરાળી પેટીશના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હનુમાન મઢી ચોકમાં આવેલી મુરલીધર ફરસાણ,પારસ સ્વીટ માર્ટ અને મોટી ટાંકી ચોકમાં આવેલી સ્નેક્સ બાઇટમાં મકાઇના લોટમાંથી પેટીશ બનાવતા હોવાનું સામે આવ્યું છે.ફૂડ શાખા દ્રારા ત્રણેય સ્થળોએ મળીને કુલ 35 કિલો પેટીશના જથ્થાનો નાશ કર્યો છે અને તમામને નોટિસ આપવામાં આવી છે.

વધુ નફો કમાવવા લોકોની આસ્થા સાથે ચેડા આ અંગે ફૂડ શાખાના અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે વેપારીઓ વધુ નફો કમાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે.સામાન્ય રીતે ફરાળી પેટીશમાં તપખીરનો લોટ,રાજગરા અને સાબુદાણાનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ મકાઇનો લોટ પ્રમાણમાં સસ્તો પડતો હોવાથી આ રીતે લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં આવતા હોય છે.લોકો આસ્થા સાથે ઉપવાસ રહેતા હોય છે અને આવા વેપારીઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.

કેળાના વેપારીઓને ત્યાં પણ તપાસ ફૂડ શાખા દ્રારા શહેરમાં કેળા પકવતાં આઠ વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં માધાપર,સદર બજાર અને શિતલ પાર્ક વિસ્તારમાં આવેલા કેળાના ગોડાઉનમાં ચકાસણી હાથ ધરી હતી અને કેળા બિનઆરોગ્યપ્રદ કેમિકલથી પકાવવામાં નથી આવતાને તે અંગે તપાસ હાથ ધરી હતી.શ્રાવણ માસમાં લોકો કેળાનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્રારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં SITએ 52 અરજીઓનો નિકાલ કર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">