Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે.

Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે
વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:12 PM

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી આફતોનો સામને કરી ચૂકેલા ખેડૂતો (farmers) પર નવી આફત આવી છે. અત્યારે જસદણ વિંછીયાના ખેડૂતો માટે નાની જીવાતની આફત આવીને ઉભી છે. ખેડૂતો આ જીવાત (pests) થી પાક (crop) ને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે આ જીવતના નિયંત્રણ માટે વહેરી તકે કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ખેડૂતોના પાકને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.

જસદણ (Jasdan)  વિંછીયા પંથકમાં જીવાતોના મોટા મોટા ટોળા સાંજના સમયે ખેતરમાં ઉડતાં જોવા મળે છે. દેખાવમાં નાની નાની આ જીવાત ખુબ જ મોટી સંખ્યામાં હોય છે અને તે ઉભેલા પાકને સૂકવી નાખે છે. આ જીવાતના કારણે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયેલા દેખાયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકના ખેતરોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે. તેથી ખેડૂતો આ જીવાતથી હાલ બચવાના ઉપાયો શોધી રહ્યા છે.

Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?
અમેરિકામાં મજૂરોને 1 મહિનાનો કેટલો પગાર મળે છે ?

વિંછીયા તાલુકામાં ખેડૂતના ખેતરોમાં આટલા વર્ષોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળેટોળા ખેડૂતના ખેતરમાં ઉડી રહ્યા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. વિંછીયા પંથકના ખેડૂતોએ આવા પ્રકારની જીવાત ક્યારેય જોઈ ન હોવાથી ખેડૂતો આ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરવું તે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં ઉડતી જીવાતો કેટલી ઝેરી છે, તેની ખબર ન હોવાથી તમામ ખેડૂતોને આ જીવાત કરડવાનો ડર સતાવી રહ્યો છે. હાલ વિંછીયા પંથકના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ખેડૂતના ખેતરમાં જીવાતોના ઝુંડ ઉડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આફત બનીને ત્રાટકેલા જીવતોના ટોળા સમગ્ર વિંછીયા વિસ્તારમાં કહેર વર્તાવ્યો છે. જેને લઈ ખેતરોમાં ઉભેલો પાક સુકાતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. માથે દેવા કરીને પણ ખેડૂતોએ વાવેલા કપાસ, જુવાર, બાજરો, રજકો જેવા પાકોનો જીવાતો સફાયો કરી નાખે છે.

સરકાર તંત્ર આ બાબતે ધ્યાન આપે અને ખેડૂતોને આ જીવાતની મુસીબતથી બચાવવાનો ઉપાય શોધી કાઢે એવી માંગ થઇ રહી છે. જો સરકારી તંત્ર ખેડૂતોની વ્હારે નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને મોટી નુકસાની થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ 10 માર્ચ બાદ ગુજરાત બનશે રાજકીય પ્રવૃત્તિઓનું એપીસેન્ટર, ભાજપનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર રહેશે

આ પણ વાંચોઃ Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો

માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">