Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે.

Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે
વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:12 PM

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી આફતોનો સામને કરી ચૂકેલા ખેડૂતો (farmers) પર નવી આફત આવી છે. અત્યારે જસદણ વિંછીયાના ખેડૂતો માટે નાની જીવાતની આફત આવીને ઉભી છે. ખેડૂતો આ જીવાત (pests) થી પાક (crop) ને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે આ જીવતના નિયંત્રણ માટે વહેરી તકે કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ખેડૂતોના પાકને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.

જસદણ (Jasdan)  વિંછીયા પંથકમાં જીવાતોના મોટા મોટા ટોળા સાંજના સમયે ખેતરમાં ઉડતાં જોવા મળે છે. દેખાવમાં નાની નાની આ જીવાત ખુબ જ મોટી સંખ્યામાં હોય છે અને તે ઉભેલા પાકને સૂકવી નાખે છે. આ જીવાતના કારણે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયેલા દેખાયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકના ખેતરોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે. તેથી ખેડૂતો આ જીવાતથી હાલ બચવાના ઉપાયો શોધી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

વિંછીયા તાલુકામાં ખેડૂતના ખેતરોમાં આટલા વર્ષોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળેટોળા ખેડૂતના ખેતરમાં ઉડી રહ્યા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. વિંછીયા પંથકના ખેડૂતોએ આવા પ્રકારની જીવાત ક્યારેય જોઈ ન હોવાથી ખેડૂતો આ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરવું તે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં ઉડતી જીવાતો કેટલી ઝેરી છે, તેની ખબર ન હોવાથી તમામ ખેડૂતોને આ જીવાત કરડવાનો ડર સતાવી રહ્યો છે. હાલ વિંછીયા પંથકના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ખેડૂતના ખેતરમાં જીવાતોના ઝુંડ ઉડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આફત બનીને ત્રાટકેલા જીવતોના ટોળા સમગ્ર વિંછીયા વિસ્તારમાં કહેર વર્તાવ્યો છે. જેને લઈ ખેતરોમાં ઉભેલો પાક સુકાતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. માથે દેવા કરીને પણ ખેડૂતોએ વાવેલા કપાસ, જુવાર, બાજરો, રજકો જેવા પાકોનો જીવાતો સફાયો કરી નાખે છે.

સરકાર તંત્ર આ બાબતે ધ્યાન આપે અને ખેડૂતોને આ જીવાતની મુસીબતથી બચાવવાનો ઉપાય શોધી કાઢે એવી માંગ થઇ રહી છે. જો સરકારી તંત્ર ખેડૂતોની વ્હારે નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને મોટી નુકસાની થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ 10 માર્ચ બાદ ગુજરાત બનશે રાજકીય પ્રવૃત્તિઓનું એપીસેન્ટર, ભાજપનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર રહેશે

આ પણ વાંચોઃ Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">