AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 27 માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયે વાદળ છાયા વાતાવરણ તથા કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવા

Rajkot : 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના
Rajkot Rain Forecast
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 23, 2023 | 11:43 PM
Share

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 27 માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયે વાદળ છાયા વાતાવરણ તથા કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, APMC મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા તેમજ APMC મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, APMC મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર –  1800 1801551 નો સંપર્ક કરી શક્શે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, લોધિકા, ધોરાજી અને રાજકોટ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.સતત બે દિવસ કમોસમી વરસાદને કારણે યાર્ડમાં ખુલ્લામાં રહેલા ખેડૂતોના પાક જેવા કે ઘઉં, ધાણા અને મરચાંને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જેમાં ખેડૂતો અને વેપારીઓ બંનેને નુકસાન પહોંચ્યું હતું.. ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચા પલળી ગયા હતા તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ધાણા પલળી ગયા હતા.

જેને લઈને બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી આ જણસીઓની આવક બંધ કરવામાં આવી છે.બીજી તરફ ખેડૂતોનો મોંમાં આવેલો કોડીયો છીનવાઈ ગયો છે તૈયાર પાક અને લણવાનો પાક બંને બગડી ગયા છે. ત્યારે હવે માવઠું ન પડે તેવી જ ખેડૂતો આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 262 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">