Rajkot : ઉનાળા શરૂ થતા જ 11 ગામોમાં પીવાના પાણીની સમસ્યા
મનહરપુર ગામમાં રોજના છ ફેરા પાણીના (Water) ટેન્કરના આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગુંદાળા, જીવાપર, રામપર બેટી, ગારાડી, આણંદપુર નવાગામ, બામણબોર સહિતના ગામોમાં ટેન્કરથી પાણી પુરુ પાડવામાં આવે છે.
Rajkot : ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં સૌની યોજના થકી પીવાના પાણીની (Water) કોઈ ગંભીર સમસ્યા (Problem) નથી. પરંતુ આસપાસના 11 જેટલા ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે.
આજે રાજકોટનું મનહરપુર ગામ છેલ્લા ઘણાં સમયથી આ ગામમાં પાણીની સમસ્યા છે. રાજકોટના પાદરે આવેલા ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની ફરજ પર પડી રહી છે. છેલ્લા દસ વર્ષથી આ ગામમાં પાણીની કોઇ નક્કર યોજના અમલમાં નથી આવી. જેથી ગામ લોકોને ટેન્કર વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામ લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે .મનહરપુર ગામમાં રોજના છ ફેરા પાણીના ટેન્કરના આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગુંદાળા, જીવાપર, રામપર બેટી, ગારાડી, આણંદપુર નવાગામ, બામણબોર સહિતના ગામોમાં ટેન્કરથી પાણી પુરુ પાડવામાં આવે છે.
બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે ચોમાસુ બેસે નહીં ત્યાં સુધી એટલે કે જુલાઈ મહિનાના અંત સુધી જિલ્લામાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા ઊભી થશે નહીં, જે વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન મૂકવામાં આવી નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીની કટોકટીના સર્જાય તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દર પંદર દિવસે રીવ્યુ બેઠક મળે છે. જેમાં પાણીનું આયોજન કરવામાં આવે છે. તંત્રના દાવા પ્રમાણે ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાય તેવું લાગતું નથી અને સૌની યોજના થકી અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે આ વખતે બોરના પાણી અગાઉથી જ સુકાઈ ગયા છે. જેના કારણે સંપૂર્ણ આધાર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી પર જ રાખવો પડી રહ્યો છે. ત્યારે સરકાર પીવાના પાણીની કટોકટી સર્જાઇ તે માટે તે પ્રકારનું આયોજન કરે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો :Ahmedabad : જીટીયુ ખાતે 5 ટ્રીલિયન ઈકોનોમીમાં ટેક્નોલોજીના રોલ અંગે રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ
આ પણ વાંચો :પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને સરકાર આપશે મોટી ભેટ, ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 32,500 રૂપિયા