AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે.

Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો
water crisis in rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 2:46 PM
Share

રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ થઈ ગયો છે. માધાપર વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓએ પાણી ન મળતા મનપા કચેરીમાં જોરદાર હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. મહિલાઓએ કોર્પોરેટર બાબુ ઉધરેજાનો પાણી મુદ્દે બરાબરનો ઉધડો લીધો હતો.

આ પણ વાંચો : Rajkot : સ્વાર્થી દીકરાએ વિધવા માતાને તરછોડી ભટકવા કરી મજબુર, તંત્રએ રસ લઈ જમીન-મકાન અને ભરણપોષણ આપવા કર્યો આદેશ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે. મહિલાઓએ પાણીના ટેન્કર નહીં, પાણીની પાઈપ લાઈન આપવાની ઉગ્ર માગણી કરી રહી છે. તો પોલીસે મહિલાઓનો આક્રોશ જોઈને મનપા કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો. આ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રાજકોટમાં પાણી માટે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારના વાયદાઓથી અકળાયેલી મહિલાઓનો આક્રમક મિજાજ જોઈને કોર્પોરેટરે હૈયાધારણા આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોર્પોરેટરે કહ્યું કે બે-ત્રણ વર્ષમાં તમામ કામ ન થઈ શકે. આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને આગામી થોડા સમયમાં જ પાણી મળવા લાગશે. જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી ટેન્કરથી સમયસર પાણી મળે તેનું ધ્યાન રાખવામાં આવશે.

તો બીજી તરફ રાજકોટના મેયરે કહ્યું કે પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 1400 કરોડના ખર્ચે પાણીની લાઈનો નાંખવામાં આવી રહી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી બાદ એકાદ મહિનામાં જ ટેન્ડર બહાર પાડવામા આવશે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામા આવશે. આ પૂર્વે નવા ભળેલા માધાપર, નાનામૌવા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાણીના ટેન્કરોથી નિયમિત પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.

થોડા દિવસો પહેલા રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ના આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.સ્થાનિકોનો આરોપ હતો કે , ચૂંટણી સમયે મત માગવા નેતાઓ આવી જાય છે. પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ કરવા એક પણ નેતા કે કોર્પોરેટરો ફરકતા નથી. પાણીવેરો ભરવા છતા એક ટીપું પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">