AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે.

Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો
water crisis in rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 2:46 PM
Share

રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ થઈ ગયો છે. માધાપર વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓએ પાણી ન મળતા મનપા કચેરીમાં જોરદાર હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. મહિલાઓએ કોર્પોરેટર બાબુ ઉધરેજાનો પાણી મુદ્દે બરાબરનો ઉધડો લીધો હતો.

આ પણ વાંચો : Rajkot : સ્વાર્થી દીકરાએ વિધવા માતાને તરછોડી ભટકવા કરી મજબુર, તંત્રએ રસ લઈ જમીન-મકાન અને ભરણપોષણ આપવા કર્યો આદેશ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે. મહિલાઓએ પાણીના ટેન્કર નહીં, પાણીની પાઈપ લાઈન આપવાની ઉગ્ર માગણી કરી રહી છે. તો પોલીસે મહિલાઓનો આક્રોશ જોઈને મનપા કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો. આ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રાજકોટમાં પાણી માટે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારના વાયદાઓથી અકળાયેલી મહિલાઓનો આક્રમક મિજાજ જોઈને કોર્પોરેટરે હૈયાધારણા આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોર્પોરેટરે કહ્યું કે બે-ત્રણ વર્ષમાં તમામ કામ ન થઈ શકે. આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને આગામી થોડા સમયમાં જ પાણી મળવા લાગશે. જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી ટેન્કરથી સમયસર પાણી મળે તેનું ધ્યાન રાખવામાં આવશે.

તો બીજી તરફ રાજકોટના મેયરે કહ્યું કે પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 1400 કરોડના ખર્ચે પાણીની લાઈનો નાંખવામાં આવી રહી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી બાદ એકાદ મહિનામાં જ ટેન્ડર બહાર પાડવામા આવશે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામા આવશે. આ પૂર્વે નવા ભળેલા માધાપર, નાનામૌવા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાણીના ટેન્કરોથી નિયમિત પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.

થોડા દિવસો પહેલા રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ના આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.સ્થાનિકોનો આરોપ હતો કે , ચૂંટણી સમયે મત માગવા નેતાઓ આવી જાય છે. પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ કરવા એક પણ નેતા કે કોર્પોરેટરો ફરકતા નથી. પાણીવેરો ભરવા છતા એક ટીપું પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">