BJP મિશન 182 : વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમમાં લાખોની જનમેદની એકત્ર કરવા ભાજપે કમર કસી, સૌરાષ્ટ્ર નેતાઓના પાટીલે લીધા ક્લાસ

|

May 17, 2022 | 1:47 PM

આ આયોજનના ભાગ રૂપે સી.આર પાટીલ (CR Patil) દ્રારા તમામ જિલ્લાઓના હોદ્દેદારોને જનમેદની એકત્ર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

BJP મિશન 182 : વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમમાં લાખોની જનમેદની એકત્ર કરવા ભાજપે કમર કસી, સૌરાષ્ટ્ર નેતાઓના પાટીલે લીધા ક્લાસ
C R Patil Meeting with BJP Leader

Follow us on

Rajkot News : 28 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજકોટ જિલ્લાની મુલાકાતે છે.આટકોટ(ATKOT)  ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ દ્રારા ક્વાયત તેજ કરવામાં આવી રહી છે.આજે રાજકોટના (Rajkot) સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની(CR Patil)  ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના અલગ- અલગ જિલ્લાઓના નેતાઓની એક બેઠક મળી હતી.જેમાં કાર્યક્રમને લઇને સમીક્ષા કરવામાં આવી હતી.

દરેક જિલ્લામાંથી લોકો ઉપસ્થિત રહે તેવી તૈયારી

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ભાજપ દ્રારા લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કરશે.આ આયોજનના ભાગ રૂપે સી.આર પાટીલ દ્રારા તમામ જિલ્લાઓના હોદ્દેદારોને જનમેદની એકત્ર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને નેતાઓના ક્લાસ પણ લેવામાં આવ્યા હતા.

આ જિલ્લાઓના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

આ અંગે સી આર પાટીલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય એટલે સંખ્યા અને આયોજનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ત્યારે આજે સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક કરીને આયોજનની સમીક્ષા કરવામાં આવશે.આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મળેલી બેઠકમાં રાજકોટ,જામનગર,જુનાગઢ,અમરેલી,સુરેન્દ્રનગર,મોરબી,બોટાદજિલ્લાના પ્રભારી,સંગઠનના હોદ્દેદારો તથા પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ કાર્યક્રમ પહેલા ખોડલધામે નારાજગી દર્શાવી હતી

આટકોટની હોસ્પિટલની પત્રિકામાં ખોડલધામનું નામ લખવામાં ન આવતા ખોડલધામે નારાજગી વ્યક્ત કરી હતી.નરેશ પટેલે આ કાર્યક્રમમાં ખોડલધામનું સન્માન જાળવવામાં ન આવ્યું હોવાનો દાવો કર્યો હતો જો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરાફાર થતા નવી પત્રિકામાં ખોડલધામના નામનો સનાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.નારાજ નરેશ પટેલને મનાવવા નવી પત્રિકા તૈયાર કરવામાં આવશે. તેમજ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ખોડલધામનું નામ અને લોગો પણ પત્રિકામાં દર્શાવવામાં આવશે.એટલું જ નહીં ભરત બોઘરા નરેશ પટેલને રૂબરૂ આમંત્રણ આપવા જશે. પાટીદાર સમાજ દ્વારા નરેશ પટેલને (Naresh Patel) કાર્યક્રમમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે કાર્યક્રમમાં આમંત્રણને લઇને નારાજગી દર્શાવી હતી.

40 કરોડના ખર્ચે આ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

તમને જણાવવુ રહ્યું કે, 40 કરોડના ખર્ચે આ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અગાઉ 28 તારીખનો કાર્યક્રમ નકકી થયો હતો પરંતુ PMOની સુચનાને પગલે કાર્યક્રમના તારીખમાં ફેરફરા કરવામાં આવ્યો. વડાપ્રધાન આ હોસ્પિટલનાં લોકાર્પણમાં આવી રહયા હોવાથી ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજ દ્વારા વધુ લોકો એકત્ર થાય તે માટે બેઠકોનો દોર કરવામાં આવી રહયો છે. ગઈકાલે 150 આગેવાનોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Published On - 1:23 pm, Tue, 17 May 22

Next Article