ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટને પીએમ મોદી આપી શકે છે મોટી ભેટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકોટ-સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  મોટી ભેટ આપી શકે છે . આ ચૂંટણી પહેલા PM મોદી રાજકોટના હીરાસર એરપોર્ટને(Airport)  ખુલ્લુ મુકી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 8:39 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકોટ-સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  મોટી ભેટ આપી શકે છે . આ ચૂંટણી પહેલા PM મોદી રાજકોટના હીરાસર એરપોર્ટને(Airport)  ખુલ્લુ મુકી શકે છે.મળતી માહિતી મુજબ આગામી એક મહિનામાં હીરાસર એરપોર્ટનું કામ પૂર્ણ કરવા માટે PMO તરફથી સૂચના આપી દેવામાં આવી છે. આ એરપોર્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 95 ટકા તૈયાર થઇ ગયું છે. આગામી ડિસેમ્બરમાં તૈયાર થઈ શકે છે.

હાલમાં 10થી વધુ ફલાઇટ ઉડાન ભરે છે.

રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્રનો ટ્રાફિક સારા પ્રમાણમાં મળી રહ્યો છે. શહેરમાં દરરોજ દિલ્લી અને મુંબઇની 4-4 ફલાઇટ ઉડાન ભરે છે. આ ઉપરાંત ગોવા તથા બેંગલોરની ફલાઇટ ઉડાન ભરે છે. અત્યાર સુધી ફલાઇટને પાર્કિંગ માટેની કોઇ જગ્યા ન હોવાને કારણે નવી ફલાઇટ શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટ હોવાને કારણે ચાર્ટડ પ્લેન પણ હોય છે. જો કે હવે નવી ફલાઇટ પણ મળવાની શક્યતા છે.

જયપુર, કોલકતા અને બનારસની ફલાઇટો થશે શરૂ

રાજકોટ એરપોર્ટ પર ફલાઇટ પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે જ્યારે બે ફલાઇટ પાર્કીંગમાં હોય તો અન્ય ફલાઇટને હવામાં જ ચક્કર લગાવવા પડે છે. જેથી ઇંધણનો વપરાશ પણ વઘારે થતો હતો. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓ દ્વારા રાજકોટથી જયપુર, કોલકતા અને બનારસ માટેની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો કે પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે એરલાઇન્સ કંપની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી ન મળી હતી. જો કે હવે નવા એપ્રેન-પાર્કિંગને મંજૂરી મળતા 15 જૂન બાદ નવી ફલાઇટો પણ શરૂ થશે જેનો સૌરાષ્ટ્રને સીધો ફાયદો મળશે.

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગની સમસ્યા હોવાને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ હોય તેમજ ડાયવર્ટ કરવી પડી હોય તેવા સમાચાર અવાર નવાર આવતા હતા. તેમજ મુસાફરોને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે હવે નવા પાર્કિંગની સુવિધા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ તમામા સમસ્યાઓનું નિરાકરણ આવશે. તેમજ નવી ફ્લાઈટ શરૂ થવાથી મુસાફરોનો સમય પણ બચશે.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">