AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં ‘પોલીસ પુત્રી’ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત

નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

રાજકોટમાં 'પોલીસ પુત્રી'ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત
Navratri was celebrated at the Police Headquarters by the Rajkot City Police Commissioner
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:42 PM
Share

RAJKOT : નવરાત્રીના નવ દિવસ હિંદુઓ નવ દિવસ સુધી માં અંબાની આરાધના કરે છે. આ વર્ષે વરસાદની સાથે નવરાત્રીની શરૂઆત થઇ છે. લોકો માં આદ્યશક્તિ માં અંબાની આરાધના ભક્તિ પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા અંબા માતાજીના મંદિર ખાતે પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

કોણ છે ‘પોલીસ પુત્રી’ અંબા ? રાજકોટ શહેરમાંથી થોડા દિવસો પહેલા એક બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી.શ્વાને બાળકીને એટલા બચકાં ભર્યા હતા કે તે જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હતી.આ સમયે જ પોલીસ હેડક્વાર્ટર ખાતે માં અંબાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી.જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ બાળકીને દત્તક લીધી હતી અને આ બાળકીનું નામ ‘અંબા’ પાડ્યું હતુ. રાજકોટ પોલીસે અંબાની વિશેષ સારવાર કરાવી હતી અને આ બાળકી આજે કાઠિયાવાડ બાલાશ્રમમાં છે અને તેને ઇટલીના પરિવાર દ્વારા કાયમી દત્તક લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે 2 મહિના બાદ પૂર્ણ થશે અને તે ઇટાલીની નાગરિક બનશે.

શહેરમાં શાંતિ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. મનોજ અગ્રવાલે કોરોના મહામારીમાં પોલીસને લોકોએ આપેલા સાથ સહકારનો આભાર માન્યો હતો. નવરાત્રીમાં નગરજનો ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રી પર્વ ભયમુક્ત થઇને ઉજવી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતુ અને લોકોને કોરોનાની મહામારીમાં સાવચેત રહેવા અને ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી.

માતાજીની આરાધનાના આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણી,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા,એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા , ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય.રાવલ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અ પણ વાંચો : રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણીસૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

આ પણ વાંચો : Ahmedabad : વિજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો, કેટલાક વિસ્તારો કોરાધાકોર

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">