દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન, સાંજે ૭ વાગ્યે જનસભાને સંબોધન કરશે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા. કેજરીવાલને આવકારવા માટે એરપોર્ટ પર ઇસુદાન ગઢવી, ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાંજે 7 વાગ્યે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન, સાંજે ૭ વાગ્યે જનસભાને સંબોધન કરશે
Delhi Chief Minister Arvind Kejriwal arrives in Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 4:09 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind kejriwal) રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ (Rajkot) એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા. કેજરીવાલને આવકારવા માટે એરપોર્ટ પર ઇસુદાન ગઢવી, ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાંજે 7 વાગ્યે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ પહોંચ્યા છે.

રાજકોટ એરપોર્ટથી કેજરીવાલ હોટેલ ઇમ્પિરીયલ ગયા હતા જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. જે બાદ કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરશે. રાજકોટમાં તેમનો રોડશો યોજવામાં આવશે. આ રોડ શો શાસ્ત્રી મેદાન સુધી પહોંચશે અને ત્યાં સભાનું સંબોધન કરશે. આમ સૌરાષ્ટ્રથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે તેમના રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્રિકોણ બાગ ખાતે શાસ્ત્રી મેદાનમાં યોજવામાં આવેલી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું જણાઈ આવે છે. ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધિત કરશે. મળતી માહિતી અનુસાર કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં કોન્દ્રીય નેતાઓની ગુજરાતની અવર જવર વધી ગઈ છે. ગઈ કાલે જ રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે આવ્યા હતા તેમણે આદીવાસીઓને કોંગ્રેસ તરફ આકર્ષવાની કોશિશ કરી હતી. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં ભાગ લેલવા આવેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવું ગુજરાત બનાવવું પડશે તમને રોજગાર અને શિક્ષા તેમજ સ્વાસ્થ્ય જોઈએ તો તમારે આગળ આવવું પડશે. ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમારું જૂનું મોડેલ પરત લાવવા માંગીએ છીએ અને બધા મળીને સરકાર ચલાવીશું. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને તેમાં આદિવાસીઓના ધારાસભ્ય હશે અને સરકાર એમના માટે કામ કરતી હશે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને એટલા મજબૂત કરવા માંગે છે કે ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">