AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોર ડૂબી જતા મોત, જુઓ Video

રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ.

| Updated on: May 22, 2023 | 11:42 AM
Share

રાજકોટના ( Rajkot  ) ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ. જેમના આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને તાત્કાલીક ધોરણે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rajkot: વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા પદ્મકુંવરબા હોસ્પિટલ, કુલ 4662 પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં બનેલી અન્ય ડૂબવાની ઘટના

તો બીજી તરફ બોટાદ ખાતે આવેલા કૃષ્ણસાગર તળાવમાં 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનુ છે કે પાંચેય તરુણ અને યુવાનો ન્હાવા ગયા હતા અને ડુબી જવાથી મોત તમામના મોત નિપજ્યાં હતા. મહત્વનુ છે કે મરનાર તમામ બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા જિલ્લા SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ અગાઉ સુરતના હજીરા વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. AMNS કોલોનીના તળાવ આસપાસ બે બહેનો રમી રહી હતી. તે દરમિયાન બંને બાળકી ડૂબી ગઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. બંને બહેનો બપોર બાદ ગુમ થઇ ગઇ હતી. જે પછી પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે પછી તળાવમાંથી બંને બહેનોના મૃતદેહ મળી આવ્યાં હતા. એક સાથે બે બહેનોના મોત થતાં પરિવાર સહિત આસપાસનો સ્થાનિકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો.

થોડા દિવસ પહેલા પણ વડોદરાના સાવલીમાં મહીસાગર નદીમાં ડૂબવાથી વિદ્યાર્થીનું મોત થયુ હતુ. સાવલીના લાંછનપુરા ગામ પાસે 21 વર્ષીય અભિષેક પટેલ નામનો વિદ્યાર્થી તેના 7 જેટલા મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવ્યો હતો. અભિષેક પટેલ નદીમાં ડૂબતા સ્થાનિક તરવૈયાએ તેને નદીમાંથી બહાર કાઢ્યો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સાવલી આરોગ્ય કેન્દ્ર ખસેડાતા ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક વિદ્યાર્થી અભિષેક પટેલ મૂળ ગોધરાનો રહેવાસી હતો. તથા તે MSUમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરીવાર તેમજ મિત્રોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">